Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઝમ ખાનને ન મળ્યા જામીન, નહિ લઇ શકે શપથ

કોર્ટે સપાના નેતા આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ યુપી વિધાનસભામાં શપથ લઈ શકશે નહીં. સીતાપુર જેલ પ્રશાસને આઝમ ખાનને શપથ લેવાની મંજૂરી આપવા માટે અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ પોતે આજે જવા માંગતા ન હતા.આઝમ ખાન લાંબા સમયથી જેલમાં છે. તેઓ લોકસભાના સાંસદ હતા અને તાજેતરમાં જ રાજીનામું આપ્યું હતું. તેમને યુપીમાં જીતેલા તમà
09:36 AM Mar 29, 2022 IST | Vipul Pandya
કોર્ટે સપાના નેતા આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ યુપી વિધાનસભામાં શપથ લઈ શકશે નહીં. સીતાપુર જેલ પ્રશાસને આઝમ ખાનને શપથ લેવાની મંજૂરી આપવા માટે અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ પોતે આજે જવા માંગતા ન હતા.
આઝમ ખાન લાંબા સમયથી જેલમાં છે. તેઓ લોકસભાના સાંસદ હતા અને તાજેતરમાં જ રાજીનામું આપ્યું હતું. તેમને યુપીમાં જીતેલા તમામ ધારાસભ્યો સાથે શપથ ગ્રહણ માટે વિધાન ભવન જવાનું હતું પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. રાજ્યના તમામ વિજેતા ધારાસભ્યોને સોમવાર અને મંગળવારે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે, પરંતુ આઝમ ખાન કોર્ટની પરવાનગીના અભાવે શપથ લઈ શકશે નહીં.
સોમવારે વિધાનસભામાં 348 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ કુમાર ખન્ના અને અન્ય ધારાસભ્યોએ શપથ લીધા હતા. સુરેશ ખન્નાને નાણા અને સંસદીય કાર્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અબ્દુલ્લા આઝમ અને અબ્બાસ અન્સારીએ પણ મંગળવારે જ શપથ લીધા હતા.
Tags :
AzamKhanGujaratFirstSAPAUPUttarPradeshyogi
Next Article