Mahakumbh 2025: Ambani Family ની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું
મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અંબાણી પરિવારની ચાર પેઢીએ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી Prayagraj: પ્રયાગરાજમાં અત્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. આમાં મુકેશ અંબાણીએ આજે તેમની...
Advertisement
- મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
- અંબાણી પરિવારની ચાર પેઢીએ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો
- નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી
Prayagraj: પ્રયાગરાજમાં અત્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. આમાં મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે અંબાણીના સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા હતાં.
Advertisement