Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"કાશ્મીર છોડી દો અથવા તો મરવા માટે તૈયાર રહો", કાશ્મીરી પંડિતોને લશ્કર-એ-ઈસ્લામની ખુલ્લી ધમકી

જમ્મુ-કાશ્મીરમાં સરકારી સેવાઓમાં રોકાયેલા કાશ્મીરી પંડિતોને સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિતો ઘાટી છોડી દે નહીં તો મરવા માટે તૈયાર રહે. આ પરિવહન આવાસમાં રહેતા àª
05:55 PM May 15, 2022 IST | Vipul Pandya

જમ્મુ-કાશ્મીરમાં સરકારી સેવાઓમાં રોકાયેલા કાશ્મીરી પંડિતોને
સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં
રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠન દ્વારા ધમકી
આપવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે
કાશ્મીરી પંડિતો ઘાટી છોડી દે
નહીં તો મરવા માટે તૈયાર રહે. આ
પરિવહન આવાસમાં રહેતા મોટાભાગના કાશ્મીરી પંડિતો સરકારી નોકરી કરે છે. 
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'તમામ પ્રવાસીઓ અને આરએસએસના એજન્ટો ઘાટી છોડી દો નહીં તો મોતનો
સામનો કરવા તૈયાર રહો. આવા કાશ્મીરી પંડિતો માટે કોઈ સ્થાન નથી કે જેઓ કાશ્મીરને
બીજું ઈઝરાયલ બનાવવા માંગે છે અને કાશ્મીરી મુસ્લિમોને મારવા માંગે છે તેવા કાશ્મીરી
પંડિતો માટે કોઈ જ સ્થાન નથી. તમારી સુરક્ષા બમણી અથવા તો ત્રણ ગણી કરી નાખો. અને
મરવા માટે તૈયાર રહો. તમે મરશ
. આ પોસ્ટર હવાલ
ટ્રાન્ઝિટ હાઉસિંગના અધ્યક્ષને સંબોધીને લખવામાં આવ્યો છે.


જમ્મુ-કાશ્મીરના બડગામમાં મહેસૂલ વિભાગના એક અધિકારીને
આતંકવાદીઓએ ગોળી મારી હતી. તહસીલ ઓફિસમાં આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને
નિશાન બનાવ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. રાહુલ એક
કાશ્મીરી પંડિત હતો જે લાંબા સમયથી મહેસૂલ વિભાગમાં કામ કરતો હતો. આતંકવાદીઓએ
તહસીલ ઓફિસમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. જો કે આ ઘટનાના
24 કલાકમાં જ
બાંદીપોરામાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં માર્યા ગયેલા બે
આતંકવાદીઓ રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ
ફૈઝલ અને સિકંદર તરીકે થઈ છે. બંને પાકિસ્તાની છે. ત્રીજો આતંકવાદી ગુલઝાર અહેમદ
છે
, જેની ઓળખ 11 મેના રોજ થઈ હતી.


લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાહુલની પત્ની માટે જમ્મુમાં
સરકારી નોકરી
, પરિવારને આર્થિક મદદ
તેમજ દીકરીના ભણતરનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. પરંતુ આ ઘટનાથી ગુસ્સામાં
વિસ્થાપિત કાશ્મીરી પંડિતોએ દેશમાં ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યું છે. આ સાથે કેન્દ્ર
સરકાર પણ આ મુદ્દે વિપક્ષના નિશાના પર આવી છે. સરકાર તરફથી એવો દાવો કરવામાં આવી
રહ્યો છે કે તે કાશ્મીરમાં એકવાર વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને સ્થાયી કરવાનો
પ્રયાસ કરી રહી છે. પરંતુ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની લક્ષ્યાંકિત હત્યાને
લઈને ઘાટીમાં ગભરાટ અને ગુસ્સો વધી રહ્યો છે.

Tags :
GujaratFirstKashmirKashmiripanditsLashkareIslamThreat
Next Article