Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી દુર્ઘટનામાં દુનિયાભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું, જાણો કોણે શું કહ્યું

મોરબીમાં રવિવારે કેબલ બ્રિજ તૂટી પડતાં મોટી સંખ્યામાં લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 જેટલા લોકોના મોત થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. આ સંખ્યા હજી પણ વધી શકે છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પુલ ધરાશાયી થયો ત્યારે લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા. માહિતી મળતાં અધિકારીઓ અને ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર
05:49 AM Nov 01, 2022 IST | Vipul Pandya
મોરબીમાં રવિવારે કેબલ બ્રિજ તૂટી પડતાં મોટી સંખ્યામાં લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 જેટલા લોકોના મોત થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. આ સંખ્યા હજી પણ વધી શકે છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પુલ ધરાશાયી થયો ત્યારે લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા. માહિતી મળતાં અધિકારીઓ અને ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વળી આ ઘટના પર માત્ર દેશના જ નહીં પણ વિદેશના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 
રશિયા
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં પુલ તૂટી પડવાની દુ:ખદ ઘટના પર હું શોક વ્યક્ત કરું છું. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
નેપાળ
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ ગુજરાતમાં બનેલી દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. દેઉબાએ ટ્વીટ કર્યું, “ગુજરાતના મોરબીમાં પુલ તૂટી પડવાની દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. કિંમતી જાનહાનિ પર અમે ભારત સરકાર અને લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે."

સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પણ ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં ઝૂલતા પુલના તુટી જવાને કારણે ઘણા લોકોના મોત થયા છે." વિદેશ મંત્રાલય આ દુર્ઘટના અંગે મિત્ર દેશ ભારત પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
ચીન
મોરબી બ્રિજની ઘટના પર એક પ્રશ્નના જવાબમાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને બેઇજિંગમાં કહ્યું, 'અમે જે બન્યું તેની નોંધ લીધી છે અને અમે જાનહાનિ પર શોક વ્યક્ત કરીએ છીએ. અકસ્માતમાં મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે અમારી સંવેદના છે.' 
અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ પુલ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. બાઈડેને એક નિવેદનમાં કહ્યું, 'આજે અમારું દિલ ભારત સાથે છે. હું ગુજરાતના લોકોના દુઃખમાં તેમની સાથે છું અને પુલ ધરાશાયી થતાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. યુએસ અને ભારત અનિવાર્ય ભાગીદારો છે, આપણા નાગરિકો વચ્ચેના ગાઢ સંબંધો છે. અમે આ મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે ઊભા રહીશું અને તેમનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું.
ઇઝરાઇલ
એક શોક સંદેશમાં ઇઝરાઇલના વડા પ્રધાન લેપિડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બનેલી બ્રિજ દુર્ઘટના બાદ ઇઝરાઇલના લોકોનો સંવાદ અને પ્રાર્થના ભારતના લોકો સાથે છે. તેમણે ટ્વીટ કર્યું, 'ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
શ્રીલંકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંદેશમાં, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે તેઓ પુલ તૂટી પડવાની દુ:ખદ દુર્ઘટનાથી "આઘાત અને દુઃખી" છે, રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રીલીઝ અનુસાર, રાષ્ટ્રપતિએ કહ્યું, "શ્રીલંકાની સરકાર અને હું, શ્રીલંકાના લોકો સાથે, ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ, ખાસ કરીને એવા પરિવારો પ્રત્યે કે જેમણે તેમના પરિવારોને ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની અને રાહત અને બચાવ કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી કામના કરું છું. પોલેન્ડના વિદેશ મંત્રી, ભૂટાન, દક્ષિણ કોરિયાના વડાપ્રધાન વગેરેએ પણ મોરબી બ્રિજ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ અધિકારીઓને પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે. વડાપ્રધાને ઘાયલોને 50,000 રૂપિયા અને મૃતકોના નજીકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વળી, રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના નજીકના પરિજનોને 4 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - મોરબી દુર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવનાર હુસેને કહ્યું- ત્યા લોકો વિડીયો જ બનાવી રહ્યા હતા
Tags :
bridgecollapseGujaratFirstInjuredmorbiMorbiSuspensionBridgeMorbiTragedy
Next Article