જાણો કોને મગની દાળ ન ખાવી જોઈએ, સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન
જો હેલ્દી ડાયટ (Healthy diet)ની યાદી તૈયાર કરવામાં આવે તો તેમાં કઠોળ ચોક્કસપણે સામેલ થશે કારણ કે તેમાં રપૂર પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. મગની દાળ વારંવાર ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. સામાન્ય દાળ સિવાય, પલાળેલી સ્પ્રાઉટ્સ ખાવાનું ચલણ ઘણું વધારે છે. પરંતુ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે દરેક વ્યક્તિએ મગની દાળ ન ખાવી જોઈએ કારણ કે તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. ફેમસ ડાયટિશિયન ડૉ. આયુષી યાદવે જણાવ્યું કે કેટલીક મેડિકલ કંડીશનમાં આ દાળનું સેવન કરવું જોખમી છે.
આ સ્થિતિમાં મગની દાળ ન ખાવી જોઈએ
1. લો બ્લડ પ્રેશર
લો બ્લડ પ્રેશર વાળા વ્યક્તિને જો તમારું બીપી હાઈ છે તો ડોક્ટર તમને મગની દાળ ખાવાની સલાહ આપશે. પરંતુ લો બ્લડ પ્રેશરમાં સ્થિતિ ઉલટી હોય છે. તો તમારે મગની દાળ બિલકુલ ન ખાવી જોઈએ. નહીં તો સમસ્યાઓ વધવાની જ છે.
2. પેટનું ફૂલવું
જ્યારે કોઈ પણ કારણસર તમે પેટનું ફૂલવું કે પેટ ફૂલી જવાનો શિકાર બનો તો તમારે મગની દાળથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં શોર્ટ ચેઈન કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, જેના કારણે પાચનમાં સમસ્યા થઈ શકે છે.
3. લો બ્લડ સુગર
જે લોકોના લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી ગયું છે. તેઓએ વારંવાર નબળાઈ અથવા ચક્કર આવવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં મગની દાળ ખાવી જોખમથી મુક્ત નથી કારણ કે તેનાથી બ્લડ સુગર લેવલ વધુ ઘટશે અને પછી તમે બેહોશ થઈ શકો છો.
4. યુરિક એસિડ
જે લોકો યુરિક એસિડથી પરેશાન છે તેમણે મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારી શકે છે અને પછી તમારા સાંધામાં દુખાવો થવા લાગે છે. તેથી સાવધાની જરૂરી છે.