Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એશિયા કપમાં આજે એકવાર ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને, જીત અપાવશે ફાઈનલની ટિકિટ

એશિયા કપ 2022 (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ફરી એકવાર હાઈ-વોલ્ટેજ મેચ થવા જઈ રહી છે અને હવે તેને માત્ર થોડા જ કલાકો બાકી છે. બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો ગયા રવિવારે થયો હતો અને તે ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની મેચ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આ પછી, આગામી મેચમાં ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 40 રને હરાવીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.એશિયા
04:19 AM Sep 04, 2022 IST | Vipul Pandya
એશિયા કપ 2022 (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ફરી એકવાર હાઈ-વોલ્ટેજ મેચ થવા જઈ રહી છે અને હવે તેને માત્ર થોડા જ કલાકો બાકી છે. બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો ગયા રવિવારે થયો હતો અને તે ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની મેચ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આ પછી, આગામી મેચમાં ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 40 રને હરાવીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.
એશિયા કપ 2022 માં આજે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આવી સ્થિતિમાં જો ભારતે છેલ્લી મેચની જેમ આ ટૂર્નામેન્ટના સુપર ફોરમાં કટ્ટર હરીફ ટીમ સામે જીત મેળવવી હોય તો તેના ટોપ ઓર્ડર (પ્રારંભિક ક્રમ)એ સારું પ્રદર્શન કરવું પડશે. વળી, ઝડપી બોલરોએ પણ તેમની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવી પડશે. પાવરપ્લેમાં ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોનું પ્રદર્શન સમસ્યારૂપ છે તો બિનઅનુભવી અવેશ ખાનની ડેથ ઓવરોની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. પરિણામે, ભારતને તેમના બોલિંગ આક્રમણમાં સુધારો કરવાની જરૂરિયાત દેખાય છે કારણ કે તેઓ પાકિસ્તાનનો સામનો કરે છે, જેણે અગાઉની મેચમાં હોંગકોંગને 150 થી વધુ રનથી હરાવ્યું હતું.

પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં આજે ટીમ ઈન્ડિયાને રવિન્દ્ર જાડેજાની પણ ખોટ પડશે જે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સામેની અગાઉની મેચમાં, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જમણા અને ડાબા હાથના ખેલાડીઓનું સંયોજન બનાવવા માટે જાડેજાને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો કારણ કે તે મેચમાં ઋષભ પંતને બાકાત રાખવામાં આવ્યો હતો. એ જોવું રસપ્રદ રહેશે કે શું કેપ્ટન રોહિત શર્મા અને દ્રવિડ રવિવારે એ જ દાવ રમે છે. પરંતુ એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય કે જો ડાબોડી ખેલાડીને ટોચના છ બેટ્સમેનોમાં સામેલ કરવો હોય તો તેના માટે માત્ર પંત જ યોગ્ય લાગે છે. ગયા રવિવારે હાર્દિક પંડ્યા હતો જેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતને છેલ્લી ઓવરમાં રોમાંચક જીત નોંધાવવામાં મદદ મળી હતી અને રોહિત આ મેચમાં પણ તેના અન્ય ખેલાડીઓ પાસેથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખશે.

આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપ બાદ હવે T20 વર્લ્ડ કપમાંથી પણ જાડેજા બહાર
Tags :
AsiaCupAsiaCup2022CricketGujaratFirstindiavspakistanIndVsPakSports
Next Article