Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો ભાઈ કાયદાથી મોટો કોઈ ધર્મ નથી, 3 મે સુધીમાં જો લાઉડસ્પીકર બંધ ન કર્યા તો..., રાજ ઠાકરે આકરા પાણીએ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જશે. આ સાથે તેમણે 1 મેના રોજ ઔરંગાબાદમાં તેમની આગામી જાહેરસભા યોજવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવામાં આવે એનાથી અમને કોઈને વાંધો નથી. પરંતુ જો તમે લાઉડસ્પીકર પર જોર જોરથી વગાડશો તો અમે પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. રાજ ઠાકરેએ દેશના તમામ હિંદુઓને તૈયાર રહેવાની અપીલ àª
10:21 AM Apr 17, 2022 IST | Vipul Pandya

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જશે. આ સાથે તેમણે 1 મેના રોજ ઔરંગાબાદમાં તેમની આગામી જાહેરસભા યોજવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવામાં આવે એનાથી અમને કોઈને વાંધો નથી. પરંતુ જો તમે લાઉડસ્પીકર પર જોર જોરથી વગાડશો તો અમે પણ લાઉડસ્પીકરનો
ઉપયોગ કરીશું. રાજ ઠાકરેએ દેશના તમામ હિંદુઓને તૈયાર રહેવાની અપીલ કરી છે. જો
મુસ્લિમ સમાજના લોકો
3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર
નહીં હટાવે તો અમે પણ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનું પાઠ કરીશું. તેમણે કહ્યું કે
લાઉડસ્પીકરના કારણે માત્ર હિંદુઓને જ તકલીફ થઈ રહી નથી. પરંતુ મુસ્લિમ સમાજના લોકો
પણ તેનો ભોગ બની રહ્યા છે. 
રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો
નથી. તેમણે કહ્યું કે
3 મે પછી હું જોઈશ કે શું કરવું.
દિલ્હીમાં જહાંગીરપુરી હિંસા પર ઠાકરેએ કહ્યું
, મને લાગે છે કે આવી બાબતોનો આ રીતે જવાબ આપવો જોઈએ. નહીં તો આ લોકો સમજશે નહીં.

Tags :
AyodhyaGujaratFirstLoudspeekerMNSRAJTHACKERAY
Next Article