Amit Shah in Gujarat : ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ. 150ના સિક્કાનું અનાવરણ
આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુદ્ધિવાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયર, સ્થાનિક ધારાસભ્યઓ તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ...
Advertisement
- આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- બુદ્ધિવાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયર, સ્થાનિક ધારાસભ્યઓ તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવ્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત જૈનાચાર્યો અને ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર આયોજન બદલ બુદ્ધિવાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement