Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના બાળકો હવે ભણશે 'ગીતા જ્ઞાન'

હવે ગુજરાતની શાળાઓમાં 'શ્રીમદ્દ ભગવદ ગીતા'ના પાઠ ભણાવાશે તેવી જાહેરાત  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ કરી હતી. ધોરણ 6થી 8માં પરિચય અને સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવાશે જયારે ધોરણ 9થી 12માં વાર્તા અને પઠનના સ્વરુપમાં અભ્યાસ કરાવાશે. ગુરુવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે રાજયમાં તમામ શાળાઓમાં 'શ્રીમદ્દ ભગવદ ગીતા'ના સિધ્ધાંતો અને પરિચય ભણાવવામાં આવશે àª
12:21 PM Mar 17, 2022 IST | Vipul Pandya
હવે ગુજરાતની શાળાઓમાં 'શ્રીમદ્દ ભગવદ ગીતા'ના પાઠ ભણાવાશે તેવી જાહેરાત  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ કરી હતી. ધોરણ 6થી 8માં પરિચય અને સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવાશે જયારે ધોરણ 9થી 12માં વાર્તા અને પઠનના સ્વરુપમાં અભ્યાસ કરાવાશે. 
ગુરુવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે રાજયમાં તમામ શાળાઓમાં 'શ્રીમદ્દ ભગવદ ગીતા'ના સિધ્ધાંતો અને પરિચય ભણાવવામાં આવશે તથા ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શાળાઓમાં શ્લોક ગાન, નાટય, ચિત્ર સહિતની પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે  હવે ધોરણ 6 થી 8 માં પરિચય અને સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવાશે , જયારે ધોરણ  9 થી 12 માં વાર્તા અને પઠન ના સ્વરૂપ માં અભ્યાસ કરાવાશે. શિક્ષણ મંત્રીએ  બાળ અવસ્થાથી જ ભગવદ ગીતા અભ્યાસ માં આવે તો બાળકનો વિકાસ થશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. બાળકોમાં ગીતાનું જ્ઞાન અને તેના સિદ્ધાંતો જાણી શક તે માટે વિવિધ આયોજન પણ કરવામાં આવશે. 
Tags :
geetaghyanGujaratFirstJituVaghaniSchool
Next Article