GTU દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન કરાશે

આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જીનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે આ કોલજોમાં ક્વોલીટી એજ્યુકેશન જળવાતું નહિ હોવાનું સામે આવી ચૂક્યું છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આવી લોલમલોલ હવેથી નહિ ચાલે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રિન્સીપાલથી લઇને સ્ટાફ અને સુવીધાઓનો અભાવ હશે તો હવે નહિ ચાલે. GTU દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે.રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણીક કાર્ય સુધરે તે માટે જીટીયુ એક્શનમાં આવી છે. GTU શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે. દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજીયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે GTU દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જીનિયરિંગ કોલેજોની સુવિધાઓ એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજોને દંડ ફટકારવામાં આવશે. યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજો સામે એફિલેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠએ જણાવ્યું કે GTU રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સીટી છે.દર વર્ષે કોલેજો પાસે સેલ્ફ ડિક્લોઝર એટલે કે કોલેજો પોતે જ બધી વિગતો ભરીને આપે છે, પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયા નથી જે કોલેજ એક્રીડેટેડ નથી ત્યાં સૌથી પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે. અત્યારે 427 માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેનું અમારી ટીમ ત્યાં જઈ વેરીફાય કરશે. સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે અને અમારી ડીન કમિટી સમક્ષ મુકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમિટી સુચવશે તે અનુસાર અમે પગલાં લઈશું. અમે સૂચના આપી છે કે ઇન્સ્પેકશનના દિવસે તમામ અધ્યાકોને હાજર રાખવા. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરશે અને ખાસકરીને જ્યાં આચાર્ય નહીં હોય ત્યાં અમે કડક પગલાં ભરીશું.