સૂકી ઉધરસ અને શરદી-કફ મટાડવા દાદીમાનો અક્સિર ઈલાજ
સૂકી ઉધરસ6 ગ્રામ કાળા મરીનો પાવડર, 1 ચમચી સાકર અને 2 ચમચી દહીં મિક્સ કરીને ખાવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.શરદી-કફશરદીથી છુટકારો મેળવવા માટે 15 તુલસીનાં પાન, 10 કાળાં મરી મિક્સ કરીને ચા પીવાથી આરામ મળે છે.100 ગ્રામ ગોળ ઓગાળીને 20 ગ્રામ કાળાં મરીનો પાઉડર મિક્સ કરો. ઠંડું થાય એટલે એમાંથી નાના-નાના બોલ બનાવી લો. ભોજન લીધા પછી 2 ગોળી લેવાથી ઉધરસમાં આરામ મળે છે.એક ચમચી મધમાં 2-3 પીસેલા કાળાં મરી અને
01:01 PM Oct 05, 2022 IST
|
Vipul Pandya
સૂકી ઉધરસ
6 ગ્રામ કાળા મરીનો પાવડર, 1 ચમચી સાકર અને 2 ચમચી દહીં મિક્સ કરીને ખાવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.
શરદી-કફ
- શરદીથી છુટકારો મેળવવા માટે 15 તુલસીનાં પાન, 10 કાળાં મરી મિક્સ કરીને ચા પીવાથી આરામ મળે છે.
- 100 ગ્રામ ગોળ ઓગાળીને 20 ગ્રામ કાળાં મરીનો પાઉડર મિક્સ કરો. ઠંડું થાય એટલે એમાંથી નાના-નાના બોલ બનાવી લો. ભોજન લીધા પછી 2 ગોળી લેવાથી ઉધરસમાં આરામ મળે છે.
- એક ચમચી મધમાં 2-3 પીસેલા કાળાં મરી અને ચપટી હળદર ભેળવીને લેવાથી શરદીમાં થતા કફમાં રાહત મળે છે.
તાવ
કાળાં મરી, તુલસીનાં પાન અને ગિલોયને પાણીમાં ઉકાળી આ ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
- ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી શરદી મટે છે.
- લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી શરદી મટે છે.
- ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી શરદી, કફ અને ઉધરસ મટે છે.
- સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દીવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.
Next Article