Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનનું કૂતરુ પણ ભૂખથી ન મરવું જોઇએ, આર્થિક રીતે ભાંગી પડેલા પાકને ઘઉં મોકલવા RSS નેતાની અપીલ

પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ દિવસેને દિવસે વધુ કથળી રહી છે. સ્થિતિ એ છે કે ત્યાં મોંઘવારી 30 ટકાની નજીક પહોંચી ગઈ છે. લોટ 250 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વારંવાર સવાલ ઉઠી રહ્યા છે કે શું ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મદદ કરશે?ભારતે પાકિસ્તાનને 10 થી 20 લાખ à
પાકિસ્તાનનું કૂતરુ પણ ભૂખથી ન મરવું જોઇએ  આર્થિક રીતે ભાંગી પડેલા પાકને ઘઉં મોકલવા rss નેતાની અપીલ
Advertisement
પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ દિવસેને દિવસે વધુ કથળી રહી છે. સ્થિતિ એ છે કે ત્યાં મોંઘવારી 30 ટકાની નજીક પહોંચી ગઈ છે. લોટ 250 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વારંવાર સવાલ ઉઠી રહ્યા છે કે શું ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મદદ કરશે?

ભારતે પાકિસ્તાનને 10 થી 20 લાખ ટન ઘઉં મોકલવા જોઈએઃ કૃષ્ણ ગોપાલ 
આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ સરકાર્યવાહ ડૉ.કૃષ્ણ ગોપાલે ભારત સરકારને સલાહ આપતા કહ્યું કે, પાકિસ્તાન મદદ ન માંગે તો પણ ભારતે મદદ કરવી જોઈએ. તેમનો કૂતરો પણ ભૂખે ન મરે તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કૃષ્ણ ગોપાલે કહ્યું કે ભારતે પાકિસ્તાનને 10 થી 20 લાખ ટન ઘઉં મોકલવા જોઈએ. ભારત સરકારે પડોશી ધર્મનું પાલન કરવું જોઈએ.

આપણે 70 વર્ષ પહેલા એક જ હતાઃ કૃષ્ણ ગોપાલ
કૃષ્ણ ગોપાલે પાકિસ્તાનમાં લોટની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલો હોવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, આ બધું જોઈને દુઃખ થાય છે, લોકો ખાદ્ય પદાર્થો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે 70 વર્ષ પહેલા એક જ હતા. તેમણે ભારત સરકારને કહ્યું કે આટલા અંતરનો શો ફાયદો? આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેમનો કૂતરો પણ ભૂખ્યો ન રહે.
પાકિસ્તાનની સ્થિતિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે આમ કહ્યું
અગાઉ ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે પાકિસ્તાનના આર્થિક સંકટ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જો તેનો મુખ્ય ઉદ્યોગ આતંકવાદ હોય તો કોઈપણ દેશ ક્યારેય મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે નહીં. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની મદદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પાકિસ્તાનથી સંપૂર્ણપણે અલગ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×