CRPC Amendment Bill રાજ્યસભામાં પણ થયું પસાર, અમિત શાહે કહ્યું – સરકારના દરેક નિર્ણયો ઉપર શંકા કરવી યોગ્ય નથી

કેન્દ્ર સરકારે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે
રાજ્યસભામાં પણ ગુનાહિત પ્રક્રિયા વિધેયક બિલ 2022 પાસ કરી લીધું છે. કોંગ્રેસે આ
બિલને ગેરકાનૂની ગણાવી તેનો વિરોધ કર્યો હતો.. આ બિલને 2022માં સેલેક્ટ કમિટિને
મોકલવાના પ્રસ્તાવ ઉપર રાજ્યસભામાં વોટિંગ થયું હતું. જેમાં વિપક્ષ આ બિલેને
સિલેક્ટ કમિટિને મોકલવામાં સફળ ન થઈ શક્યું. આ બિલને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું કે હાલના સમયમાં જુની કાનૂન વ્યવસ્થા પૂરતી નથી. એટલે માટે લો
કમિશન તરફથી આ બિલને લઈને ભલામણ કરવામાં આવી હતી. બિલને પસર કરતા અમિત શાહે કહ્યું
કે આ બિલ લાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે કાનૂન વ્યવસ્થાનું રાજ સ્થાપિત થાય.
Read @ANI Story | https://t.co/V8NLXB0Pc0#CriminalProcedureIdentificationBill2022 pic.twitter.com/0ULdphdvnM
— ANI Digital (@ani_digital) April 6, 2022" title="" target="">javascript:nicTemp();
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે માનવ
અધિકાર કાનૂન ક્યારેય એક બાજુ ન હોય શકે. સ્વંતંત્રતાનો ઉપયોગ બીજાની આઝાદીને નષ્ટ
કરવાની ન હોવી જોઈએ. જે લોકો કાનૂનના વિશ્વાસે પોતાનું જીવન જીવવા માંગે છે તેમના
માટે આ કાનૂન જરૂરી છે. કોઈપણ સરકાર વિધિ અને સંવિધાન દ્વારા જ સ્થાપિત થાય છે. આ
બિલમાં તમામ પ્રકારનો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને બંને પક્ષ પોતાનો મત રજૂ કરી
શકે છે. આ બિલમાં ફિંગર પ્રીન્ટ, ફૂટ પ્રીન્ટ, આંખોના નમૂના, બાયોલોજીકલ સેમ્પલ
અને બ્લડ સેમ્પલ સહિત સહી સહિતની તમામ વસ્તુઓ સામેલ છે. વિપક્ષે સરકારના દરેક
નિર્ણયોનો વિરોધ ન કરવો જોઈએ. લોકોને મદદરૂપ થતા હોય તેવા બિલનો પણ વિરોધ કરવો
ખોટું છે.
વિપક્ષ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે
કેરળમાં ભાજપના અંદાજીદ 100 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તેના માટે કોણ
જવાબદાર છે ? જો રાજનીત કરવી હોય તો મારી સાથે બંગાળમાં
કરી લેજો. આ બિલમાં કોઈપણની આઝાદીનું હનન નહીં થાય અને ન તો કોઈ ડેટાનો ઉપયોગ થાય.