લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ : CM Yogi
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મહાકુંભ 2025 દરમિયાન ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખતા શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા માટે અપીલ કરી છે.
Advertisement
Mahakumbh : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મહાકુંભ 2025 દરમિયાન ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખતા શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, લોકો કઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને વહીવટીતંત્ર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે. સાથે જ, મુખ્યમંત્રી યોગીએ ભક્તોને સંગમ તરફ જવાનું ટાળવાનો અને નજીકના ઘાટ પર સ્નાન કરવા વિનંતી કરી, જેથી કોઇપણ પ્રકારની અનિશ્ચિતતા અને આપત્તિથી બચી શકાય.
Advertisement