Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીન સરહદે લગભગ 35,000 સૈનિકો તૈનાત કરાયા, ભારતને હવે પાકિસ્તાન કરતા ચીનનો પડકાર

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે. ભારત ચાઈના બોર્ડર પર ચીન ફરી અવળચંડાઈ કરી રહ્યું છે. ચાઈનાએ બોર્ડર પર 35 હજાર સૈનિકો ખડકી દીધા છે. છેલ્લા બે વર્ષમાં ચીન સરહદે લગભગ 35,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આમાંના કેટલાક સૈનિકો આતંકવાદ વિરોધી ભૂમિકામાં સક્રિય હતા. તેઝપુર સ્થિત ગજરાજ કોર્પ્સ હેઠળના આસામ સ્થિત વિભાગને તેની બળવાખોરી વિરોધી ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યો છે અને હવà«
ચીન સરહદે લગભગ 35 000 સૈનિકો તૈનાત કરાયા  ભારતને
હવે પાકિસ્તાન કરતા ચીનનો પડકાર

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે. ભારત ચાઈના બોર્ડર પર
ચીન ફરી અવળચંડાઈ કરી રહ્યું છે. ચાઈનાએ બોર્ડર પર 35 હજાર સૈનિકો ખડકી દીધા છે. છેલ્લા
બે વર્ષમાં ચીન સરહદે લગભગ 35,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આમાંના કેટલાક
સૈનિકો આતંકવાદ વિરોધી ભૂમિકામાં સક્રિય હતા. તેઝપુર સ્થિત ગજરાજ કોર્પ્સ હેઠળના
આસામ સ્થિત વિભાગને તેની બળવાખોરી વિરોધી ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યો છે અને
હવે તેને ઉત્તરપૂર્વમાં ચીનની સરહદની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.

Advertisement


આ બધું ત્યારે આવ્યું છે જ્યારે ચીને તાજેતરના દિવસોમાં ભારતીય
ચોકીઓ સામે મોટી સંખ્યામાં સૈનિકો ખસેડીને એકપક્ષીય રીતે સ્થિતિને બદલવાનો પ્રયાસ
કર્યો હતો. જો કે
સૈનિકોની તૈનાતી પછી પણ ભારતીય સેના તેના દળોનું પુનઃસંતુલન
અને પુનર્ગઠન કરી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે પાકિસ્તાન સરહદ કરતાં પણ હવે
ચીન સરહદ પર પડકાર છે અને આ સ્થિતિને કારણે આવું કરવામાં આવ્યું છે. એક હકીકત એ પણ
છે કે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તૈનાત સૈનિકોને ભારે ઠંડીના કારણે વધારાની તૈયારીઓ
આપવામાં આવે છે. આ સૈનિકો સિયાચીન
, પૂર્વી લદ્દાખ અથવા ઉત્તર-પૂર્વમાં
આવા હવામાનમાં એક કે બે વાર તૈનાત થઈ ચૂક્યા છે અને તેઓ લાંબા ગાળાની તૈનાતી માટે
માનસિક રીતે તૈયાર છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનના સૈનિકો
વચ્ચે ઘણા સમયથી સ્થિતિ તણાવપૂર્ણ છે. બંને તરફથી હજારો સૈનિકો એકબીજાની સામે
તૈનાત છે.

Advertisement


હાલમાં જ ભારતીય સેનાના નવા ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે
એલએસી પર ખોટી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં. પદ સંભાળતાની સાથે જ સેના પ્રમુખે
ચીનને બેફામ કહી દીધું હતું. જોકે તેમણે કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જેમ
જેમ અમે બીજી બાજુ સાથે વાત કરવાનું ચાલુ રાખીશું તેમ તેમ અમે ચાલુ મુદ્દાઓનું
સમાધાન શોધી લઈશું. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે
LAC પર ખોટી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે છેલ્લા
બે વર્ષમાં અમે ચીન સાથેની સરહદ પર અમારી તૈનાતી ઘણી મજબૂત કરી છે.

Advertisement

Tags :
Advertisement

.