Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનને VIP ટ્રિટમેન્ટ આપવાનો મામલો, જેલ અધિક્ષકને કરવામાં આવ્યા સસ્પેન્ડ

તિહાડ જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) ને વીઆઇપી ટ્રીટમેન્ટ (VIP Treatment) આપવાના મામલામાં હવે કાર્યવાહી કરવામાં આવી છે. તિહાડ જેલ (Tihar Jail) ના જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલ અધિક્ષકે  ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ દિલ્હી સરકારના જેલ વિભાગે કહ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે અજીત કુમાર તેમની ફરજ નિભાવવામાં બેદરકારી
12:27 PM Nov 14, 2022 IST | Vipul Pandya
તિહાડ જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) ને વીઆઇપી ટ્રીટમેન્ટ (VIP Treatment) આપવાના મામલામાં હવે કાર્યવાહી કરવામાં આવી છે. તિહાડ જેલ (Tihar Jail) ના જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
જેલ અધિક્ષકે  ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ 
દિલ્હી સરકારના જેલ વિભાગે કહ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે અજીત કુમાર તેમની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવતા હતા. આ મામલે વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અજીત કુમાર જેલ નંબર-7ના ઈન્ચાર્જ હોવાનું કહેવાય છે. સત્યેન્દ્ર જૈનને  જેલ નંબર-7માં  જ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટી સરકારના  મંત્રી સત્યેન્દ્ર જૈન વિશે કોર્ટને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરતી વખતે EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના પગની મસાજ કરાવતા જોવા મળ્યા હતા.

EDએ કઇ VIP ટ્રિટમેન્ટનો કર્યો હતો દાવો ? 
EDએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા તરીકે આનાથી સંબંધિત વીડિયો છે. આ સિવાય ED દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તેમને વિશેષ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન 12 જૂનથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તપાસ એજન્સીઓને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર જૈન તેની પત્નીને જેલમાં ખૂબ જ સરળતાથી મળે છે. તે જેલના નિયમોનો ભંગ કરે છે અને તેમની પત્નીને મળે છે. સત્યેન્દ્ર જૈનને લઈને ઈડીએ પણ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તે તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
ઠગ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યો હતો પ્રોટેક્શન મની લેવાનો આરોપ 
મની લોન્ડરિંગના ગંભીર આરોપોથી ઘેરાયેલા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓનો અંત આવવાનો નથી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરે તાજેતરમાં સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ પર એક પછી એક પત્ર લખીને ગંભીર આરોપો લગાવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈને તિહાડ જેલમાં તેમની પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા લીધા હતા. આટલું જ નહીં, ઠગએ એવો પણ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટીના નેતાઓએ તેમને રાજ્યસભાની ટિકિટ આપવા માટે કહ્યું હતું અને તેના બદલામાં તેમની પાસેથી 50 કરોડ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો  - લો બોલો! AAP નેતાનો પોતાની જ પાર્ટી સામેનો વિરોધ જુઓ, ચઢી ગયા ટાવર પર
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPcaseGujaratFirstJailSuperintendentMinisterSatyendraJainsuspendTiharJailVIPTREATMENT
Next Article