Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ગુજરાત ફર્સ્ટ' ફરી એક વાર જાગૃત પ્રહરી બન્યું, જાણો સમગ્ર મામલો

ધાનેરાતાલુકાના ગોલા ગામે ભુવાએ પૈસા લેવાનો વિડીયો વાયરલ થવાનો મામલોભુવાએ માફી માગી પીડિત પરિવારને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના આપ્યા પરત'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલ બાદ પોલીસ સક્રિય થતા ભુવાએ માફી માગીબનાસકાંઠા (Banaskantha) જીલ્લાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં બે ભાઇ સાથે 5 ભૂવાએ લાખો રુપિયાની છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. આ ઘટનામાં  5 ભૂવાએ 35 લાખ રોકડ અન
06:14 AM Dec 16, 2022 IST | Vipul Pandya
  • ધાનેરાતાલુકાના ગોલા ગામે ભુવાએ પૈસા લેવાનો વિડીયો વાયરલ થવાનો મામલો
  • ભુવાએ માફી માગી પીડિત પરિવારને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના આપ્યા પરત
  • 'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલ બાદ પોલીસ સક્રિય થતા ભુવાએ માફી માગી
બનાસકાંઠા (Banaskantha) જીલ્લાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં બે ભાઇ સાથે 5 ભૂવાએ લાખો રુપિયાની છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. આ ઘટનામાં  5 ભૂવાએ 35 લાખ રોકડ અને દાગીના પડાવ્યાની ફરિયાદ પોલીસ ( Police)માં નોંધાવાતા પોલીસે તપાસ શરુ કરી હતી. દરમિયાન ગુજરાત ફર્સ્ટ'માં આ અહેવાલ પ્રદર્શીત થયા બાદ  ભુવાએ માફી માગી પીડિત પરિવારને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત આપ્યા છે અને ગુજરાત ફર્સ્ટે ફરી એક વાર જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવી છે. 

પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યું
તાજેતરમાં બનાસકાંઠાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ 5 ભૂવાઓએ પરિવારને દુઃખ દૂર કરવાની લાલચ આપી હતી અને તેમનો વિશ્વાસ જીતી પરીવારના બે ભાઈઓ પાસેથી 35લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો પડાવી હતી. સમગ્ર બાબતનો વિડિઓ પણ ઉતારાયો હતો.
ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રદર્શિત કર્યો
ઘટના બાદ પિડીત પરિવારે છેતરપીંડી કરવા બદલ ભુવા સામે પોલીસમાં અરજી આપી હતી. ગુજરાત ફર્સ્ટે અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર લાવવા માટે અને લોક જાગૃતિ પેદા કરવા માટે સમગ્ર ઘટનાને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ઉજાગર કરી હતી અને ગુજરાત ફર્સ્ટે જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવી હતી. 

ભુવાએ માફી માગી
ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ શરુ કરી હતી. ઘટના બાદ ભુવો પણ જમીન પર આવી ગયો હતો. ભુવાએ પિડીત પરિવારની અને 18 આલમની માફી માગીને પિડીતને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત આપ્યા છે. 

દાગીના અને પૈસા પરત આપ્યા 
ઉલ્લેખનિય છે કે ગોલાં ગામના બે ભાઈઓ પાસેથી ભુવાએ માતા પરત વળાવાના નામે 36.10 લાખ રોકડ અને ચાંદીના દાગીના પડાવ્યા હતા. આખરે  ભુવાએ 18 આલમની માફી માગી પીડિત પરિવારને પૈસા અને દાગીના પરત આપ્યા હતા. ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ બાદ પોલીસ સક્રિય થતા ભુવાએ પીડિત પરિવારને પૈસા પરત આપી માફી માગી હતી.
આ પણ વાંચો--અંધશ્રદ્ધામાં ધકેલાયેલા 2 ભાઇઓએ 35 લાખ ઉછીના લાવીને ભૂવાને આપ્યા, જાણો ચોંકાવનારો કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BanaskanthaGujaratFirstpoliceSuperstition
Next Article