Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉતરાજ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો

આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી 2023 થી પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો હતો.જે અંતર્ગત શિનોર તાલુકાના ઉતરાજ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન 2023 યોજનાનું ભૂમિ પૂજન તેમજ ખાતમુહૂર્તના શ્રીગણેશ કરવામાં આવ્યા ‌હતા. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુકલ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જળ એ જ જીવન અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન 2023 યોજના થકી સમગ્ર ગુજરાતમાં પાણી
02:58 PM Feb 17, 2023 IST | Vipul Pandya
આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી 2023 થી પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો હતો.જે અંતર્ગત શિનોર તાલુકાના ઉતરાજ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન 2023 યોજનાનું ભૂમિ પૂજન તેમજ ખાતમુહૂર્તના શ્રીગણેશ કરવામાં આવ્યા ‌હતા. 
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુકલ મુખ્ય મહેમાન તરીકે 
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જળ એ જ જીવન અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન 2023 યોજના થકી સમગ્ર ગુજરાતમાં પાણી બચાવવાના અભ્યાનને વેગવંતો બનાવવામાં આવ્યો હતો ત્યારે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ઉતરાજ ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 2023 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ જ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ 31 મે સુધી ચાલુ રહેશે 
સુજલામ સુફલામ જળ અભિયાન 2023 અંતર્ગત ગુજરાતમાં પાણી બચાવવાના અભ્યાનને વેગમાન તો બનાવાય
સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ધ્યાને લઈ ગુજરાત સરકાર અંતરિયાળ વિસ્તારમાં હરણફાળ વિકાસના કાર્યોને હાથ ધર્યા છે ત્યારે જળ એ જ જીવન છે માટે પાણી બચાવો અભિયાનને ધ્યાને લઈ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વિવિધ કામોના ખાતમુરત કરી પાણી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેમજ તેને લગતા વિવિધ કામો પણ હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 31 મે સુધી ચાલુ રહેશે જેથી આપણા વિસ્તારમાં થતા કામો ઉપર નજર પણ આપણે જ રાખવી જોઈએ. કારણ કે જન ભાગીદારીથી આ યોજનામાં કામ થતું હોય છે
આ વર્ષ પણ 15000  થી વઘુ લોકો લાભ લેશે
જેમાં 60  ટકા જેટલું ભારણ રાજ્ય સરકારનું અને બાકી 40 % જન ભાગીદારી થી સફળ બને છે. સુજલામ સુફલામ અંતર્ગત સિનોર તાલુકામાં કામોને વેગવંતા કરવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો જોડાયા હતા આ યોજનામાં 60% રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને બાકી 40% એ જન ભાગીદારીથી કરવામાં આવે છે. 2018 થી આ યોજના કાર્યરત થઈ છે. જેમાં વડોદરા જિલ્લામાં એક કલાક ઉપરાંતે આ યોજનાનો લાભ લઘો છે અને આ વર્ષ પણ 15000  થી વઘુ લોકો લાભ લેશે.આ પ્રસંગે રાજ ગ્રામ પંચાયતના સરપંચ ,તાલુકો વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આપણ  વાંચો- જંબુસર વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર જન સંકલ્પ કાર્યાલય શરૂ કરાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AtUtrajvillageBhumiPoojanDabhoiGujaratFirstKhatmuhurtaSujlamSuflamVadodaraWaterstoragecampaign
Next Article