વરસાદમાં ભીંજાવાના લાભાલાભ, સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવામાં અવ્વલ છે Tips
વરસાદનાં ઝાપટામાં પલળવાની મજા જ અલગ હોય છે અને તેનાથી આપણાં સ્વાસ્થ્યને પણ અનેક ગણાં ફાયદા પહોંચે છે. તે માત્ર હોર્મોન્સને જ સંતુલિત નથી કરતું, પરંતુ ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમે ગરમીમાં ત્વચાને અને વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે અને આ બધી જ સમસ્યાઓનો ઈલાજ એક જ છે વરસાદમાં પલળવું. પરંતુ શરુઆતનાં બે-ત્રણ વરસાદ જાય પછી જ પલળવું. પહેલા વરસાદમાં પલળવાની ભૂલ ક્યàª
Advertisement

વરસાદનાં ઝાપટામાં પલળવાની મજા જ અલગ હોય છે અને તેનાથી આપણાં સ્વાસ્થ્યને પણ અનેક ગણાં ફાયદા પહોંચે છે. તે માત્ર હોર્મોન્સને જ સંતુલિત નથી કરતું, પરંતુ ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમે ગરમીમાં ત્વચાને અને વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે અને આ બધી જ સમસ્યાઓનો ઈલાજ એક જ છે વરસાદમાં પલળવું. પરંતુ શરુઆતનાં બે-ત્રણ વરસાદ જાય પછી જ પલળવું. પહેલા વરસાદમાં પલળવાની ભૂલ ક્યારેય ન કરવી..
ચામડીના કેટલાક રોગો એવા હોય છે કે જે માટે ભલે ગમે એટલા ઉપચાર કરવામાં આવે, તેનાથી છૂટકારો નથી મળતો. પરંતુ આ ટીપ્સથી તમને ઘણી રાહત મળશે...
ગુણોથી ભરપૂર હોય છે વરસાદનું પાણી:
- વરસાદનું પાણી એકદમ હળવું હોય છે અને તેમાં પીએચ આલ્કલાઇન હોય છે. તેનો ઉપયોગ ‘વોટર થેરાપી’ માટે પણ થઈ શકે છે.
- તેનાથી બ્લડ પ્રેશર અને શુગર નોર્મલ રહે છે
- હૃદયનાં રોગોથી છુટકારો મળે છે
- ત્વચાની કોઈ સમસ્યા નથી રહેતી.
- વરસાદનાં પાણીને ઉકાળીને માટીનાં વાસણમાં સંગ્રહ કરીને પીવામાં આવે તો તે અમૃત સમાન સાબિત થાય છે, કારણ કે તેનાં ઝેરી તત્વો માટીમાં ખત્તમ થઈ જાય છે.
- શરીર અને મનને તાજગી આપે છે.
- સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે.
વરસાદમાં પલળવાથી થતાં ફાયદા:
- વરસાદનાં પાણીમાં ન્હાવાથી શરીરનાં હોર્મોન્સ નિયંત્રણમાં રહે છે.
- આ ઉપરાંત કાનની સમસ્યા હોય તો પણ વરસાદમાં નહાવાથી આ ઈન્ફેક્શનમાંથી રાહત મળે છે.
- ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.
- વરસાદનું પાણી શરીર, ત્વચા અને ચહેરાંને સાફ કરવાની સાથે જ ચહેરાં પર રહેલાં હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરે છે.
- ચહેરાં પરની ફોલ્લીઓ અને ખીલની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે. અને ખંજવાળમાંથી મુક્તિ મળે છે.
- બાળકોને પણ રમત-ગમતના કારણે ખૂબ જ પરસેવો વળે છે. જેના કારણે તેમની ત્વચા પર નાની-નાની ફોલ્લીઓ થાય છે. અને તેમાં ખંજવાળ આવવા લાગે છે. આ ખંજવાળમાંથી મુક્તિ મેળવવા માટે બાળકોને પણ વરસાદમાં સ્નાન કરાવવું જોઈએ.
- માથામાં અને વાળમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને સરખી રીતે સાફ કરવામાં વરસાદનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે વાળને સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. અને વાળ રેશમ જેવાં નરમ બને છે.
કેવી રીતે સ્ટોર કરશો આ વરસાદનું પાણી?
- તમે ઈચ્છો તો એક બોટલમાં વરસાદનું પાણી નાખો.
- આ પાણીને સૂતાં પહેલાં ત્વચા પર લગાવો અથવા તેનાથી ત્વચા સાફ કરો.
- થોડાં દિવસોમાં સવારે ઊઠીને આ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાનો રંગ એકદમ સફેદ બને છે.
- તેમજ ત્વચા નરમ અને ડાઘાં વગરની બની જશે.
- આમ વરસાદનું પાણી સારું એવું ક્લીન્ઝર સાબિત થઈ શકે છે.