Baba Bageshwar : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ Porbandar ની મુલાકાત લીધી
બાબા બાગેશ્વર ધામ સરકારથી દેશ દુનિયામાં જાણીતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં તેમના દિવ્ય દરબારને લઈને ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર શરૂ થાય તે પૂર્વે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પહોંચ્યા હતા....
11:50 AM Oct 19, 2023 IST
|
Dhruv Parmar
બાબા બાગેશ્વર ધામ સરકારથી દેશ દુનિયામાં જાણીતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં તેમના દિવ્ય દરબારને લઈને ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર શરૂ થાય તે પૂર્વે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પહોંચ્યા હતા. સાન્દીપની ખાતે પહોંચેલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ઋષિકુમારો તથા આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ઓચિંતી જ પોરબંદર મુલાકાતનું આયોજન થયું હોવા છંતા મોટી સંખ્યામાં બાબાના ભક્તો સાન્દીપની ખાતે પહોંચ્યા હતા.
Next Article