Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેટા ચૂંટણી દરમિયાન ભાજપા ઉમેદવાર અગ્નિમિત્રા પોલના કાફલા પર હુમલો

આસનસોલમાં લોકસભા સીટ માટે પેટાચૂંટણી આજે 12 એપ્રિલે યોજાઈ રહી છે. આ દરમિયાન હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. તોફાનીઓએ ભાજપ ઉમેદવાર અગ્નિમિત્રા પોલના કાફલાને બહાર જતા અટકાવ્યો હતો. તેઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ અહીંથી અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, આ લોકસભાની એક સીટ અને ચાર રાજ્યોની ચાર વિધાનસભા સીટોની પેટાચà«
07:00 AM Apr 12, 2022 IST | Vipul Pandya
આસનસોલમાં લોકસભા સીટ માટે પેટાચૂંટણી આજે 12 એપ્રિલે યોજાઈ રહી છે. આ દરમિયાન હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. તોફાનીઓએ ભાજપ ઉમેદવાર અગ્નિમિત્રા પોલના કાફલાને બહાર જતા અટકાવ્યો હતો. તેઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ અહીંથી અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. 
મહત્વનું છે કે, આ લોકસભાની એક સીટ અને ચાર રાજ્યોની ચાર વિધાનસભા સીટોની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેની મતગણતરી 16 એપ્રિલે થશે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવાર, 12 એપ્રિલના રોજ આરોપ લગાવ્યો હતો કે આસનસોલ લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે તેના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલ પર TMC કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર તેના નેતાઓની કાર પર પથ્થરમારો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પેટાચૂંટણીમાં TMCના શત્રુઘ્ન સિન્હા સામે લડી રહેલા અગ્નિમિત્રા પોલે કહ્યું કે, 'TMCના કાર્યકરોએ અમારા સુરક્ષા કર્મચારીઓને વાંસની લાકડીઓથી માર માર્યો હતો. મમતા બેનર્જી ગમે તેટલો પ્રયત્ન કરે, ભાજપ અહીં જીતશે.' આસનસોલના બારાબોની બૂથ નંબર 175 અને 176માં મંગળવાર, 12 એપ્રિલના રોજ મતદાન દરમિયાન તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. 

ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલને બૂથ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાં એકઠા થયેલા કેટલાક લોકોએ તેમની સાથે ભાજપના સ્થાનિક નેતા અરિજીત રોયની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે આઠ ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે મુખ્ય સ્પર્ધા તૃણમૂલ કોંગ્રેસ અને તેના મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વચ્ચે થવાની ધારણા છે. તૃણમૂલ કોંગ્રેસે આસનસોલમાં શત્રુઘ્ન સિંહાને ભાજપના અગ્નિમિત્રા પોલ સામે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ અગાઉ ભાજપમાં હતા. બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા બાદ આસનસોલના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, તેથી પેટાચૂંટણી જરૂરી હતી. બાબુલ સુપ્રિયો બાલીગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં સીપીએમના ઉમેદવાર સાયરા હલીમ શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે.
Tags :
AgnimitraPaulAsansolElectionbyelectionElectionGujaratFirstViolenceWestBengla
Next Article