Vadodara માં નેતાજીના હાઈ વોલ્ટેજ ડ્રામાં!, જુઓ લોકોએ શું કહ્યું
Floods in Vadodara : વડોદરામાં એકધારા ખાબકેલા 13.5 ઇંચ વરસાદ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજવા સરોવરના દરવાજા ખોલવા પડ્યા અને 20 વર્ષ બાદ ફરી એક વાર વડોદરામાં માનવસર્જિત પૂર (Floods in Vadodara) આવ્યું. છેલ્લા 3 દિવસથી ચોથાભાગનું શહેર પૂરના પાણીમાં છે. બુધવારે રાજ્યના 2 મંત્રીઓ સ્થિતીનો તાગ મેળવવા વડોદરા પહોંચ્યા હતા અને ડમ્પર બેસીને કેટલાક વિસ્તારોમાં ફર્યા હતા. નેતાઓની આવી મુલાકાતથી પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરાના અખબારોમાં પણ લોકોની આ જ વ્યથા જોવા મળી છે. આજે ગુરુવારે વિશ્વામિત્રીની સપાટી ઘટવા માડતાં સોસાયટીઓમાં અને રસ્તા પર ફરી વળેલા પૂરના પાણી ધીમે ધીમે ઓસરવાનું શરુ થયું છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર પૂરની સ્થિતી માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર હોવાનું વડોદરાવાસીઓ સ્પષ્ટપણે માની રહ્યા છે.