Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: ‘ભૂંગળ’ વાગે જ્યારે... ‘શક્તિ’ આવે ત્યારે!

અમદાવાદ અને સંસ્કૃતિ બંને એક બીજા સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે પણ કોટ વિસ્તારમાં સંસ્કૃતિનો વારસો જળવાયેલો જોવા મળે છે આવિ એક સંસ્કૃતિને નાયક સમાજ વર્ષોથી સાચવીને બેઠા છે. આ સંસ્કૃતિ છે ગરબી અને ગરબીમાં વાગતુ અને મા આધ્યશક્તિને અતિ...
11:39 PM Oct 08, 2023 IST | Dhruv Parmar

અમદાવાદ અને સંસ્કૃતિ બંને એક બીજા સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે પણ કોટ વિસ્તારમાં સંસ્કૃતિનો વારસો જળવાયેલો જોવા મળે છે આવિ એક સંસ્કૃતિને નાયક સમાજ વર્ષોથી સાચવીને બેઠા છે. આ સંસ્કૃતિ છે ગરબી અને ગરબીમાં વાગતુ અને મા આધ્યશક્તિને અતિ પ્રિય એવિ વાદ્ય એટલે ભુંગળની. નવરાત્રીમાં મા આદ્યશક્તિની આરાધના કરતા પહેલા આ ભુંગળ વગાડિને માને રીજવવામા આવે છે અને પછી ગરબા ગવાય છે. આ નાયક સમાજ વર્ષોથી તરગડાવ વાસમાં આ ભુંગળ રીપેર કરવા માટે કેમ્પ કરે છે જેમા ગુજરાતમાં વસતા અને જેમની પાસે ભુંગળ છે તે તેનુ સમારકામ કરાવવા માટે અહિયા આવે છે.

અમદાવાદના તરગડા વાસમાં રહેતા આ નાયક પરિવારના લોકો પાર્ટીપ્લોટમાં ગરબા ગાવા માટે નથી જતા પણ મા અંબાની મંદિરમા જ નવ દિવસ રોડ પર રાત્રે બેસીને તેની આરધના કરે છે અને પોતાની રૂઢીને સાચવી રાખે છે. ત્યારે અત્યારના સમયએ લોકો સંસ્કૃતિને ભુલીને પાર્ટીપ્લોટના વળગણને વળગ્યા છે તે લોકોએ આમાથી શીખ લેવી જોઈએ.

આ પણ વાંચો : નવરાત્રીમાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, ગરબા રમતા Heart Attack ના કિસ્સાઓમાં થઇ રહ્યો છે વધારો

Tags :
AhmedabadGujaratGujaratFirstHeritageNayakSamaj
Next Article