Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ શું હવે 'ગુજરાત ફાઇલ્સ' બનશે? વિનોદ કાપરીએ PM પાસે માંગી મંજૂરી

કાશ્મીરી પંડિતો પર 1989-90માં જે ઘટનાઓ બની અને તેમને પોતાના જ ઘરેથી પલાયન થવું પડ્યું તેને ધ્યાનમાં રાખતા વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' નામની ફિલ્મ બનાવી છે. જેને સમગ્ર દેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના હવે PM મોદીએ પણ વખાણ કર્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' તાજેતરમાં વિવાદોમાં ફસાઇ છે. ફિલ્મ રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી
03:43 AM Mar 16, 2022 IST | Vipul Pandya
કાશ્મીરી પંડિતો પર 1989-90માં જે ઘટનાઓ બની અને તેમને પોતાના જ ઘરેથી પલાયન થવું પડ્યું તેને ધ્યાનમાં રાખતા વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' નામની ફિલ્મ બનાવી છે. જેને સમગ્ર દેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના હવે PM મોદીએ પણ વખાણ કર્યા છે. 
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' તાજેતરમાં વિવાદોમાં ફસાઇ છે. ફિલ્મ રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો લહેરાવનારા સમગ્ર જૂથને આજે આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકવા માટે જો કોઈએ તે સમયે હિંમતથી કામ કર્યું હોત તો અમે મેસેજિંગ કરી શક્યા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જ્યારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યક્તિ છે. બીજી તરફ બોલિવૂડ ડાયરેક્ટર વિનોદ કાપરીએ પલટવાર કર્યો છે અને PM મોદી પર સવાલ ઉઠાવ્યા છે. વિનોદ કાપરીએ પોતાના ટ્વીટમાં લખ્યું- 'ગુજરાત ફાઇલ્સ'ના નામે, હું તથ્યો પર આધારિત, કલાના આધારે ફિલ્મ બનાવવા તૈયાર છું અને તેમા તમારી ભૂમિકાનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવશે. શું તમે આજે મને દેશની સામે આશ્વાસન આપશો કે તમે ફિલ્મની રિલીઝને રોકશો નહીં.

અન્ય એક ટ્વીટમાં બોલિવૂડ ડાયરેક્ટરે કહ્યું કે, મારા આ ટ્વીટ પછી મેં કેટલાક નિર્માતાઓ સાથે પણ વાત કરી હતી. તે #GujaratFiles બનાવવા માટે તૈયાર છે. તેમને બસ એ ખાતરીની જરૂર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે, તે જ ખાતરી તેમણે આ ફિલ્મ માટે પણ આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં ભયાનક રમખાણો થયા હતા. ત્યારે આજના PM નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, રમખાણોમાં 1,044 લોકો માર્યા ગયા, 223 ગુમ થયા અને 2,500 ઘાયલ થયા હતા. મૃતકોમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ હતા. સંબંધિત નાગરિક ટ્રિબ્યુનલના અહેવાલમાં અંદાજ છે કે, રમખાણોમાં 1,926 લોકો મૃત્યુ પામ્યા હતા. અન્ય સ્ત્રોતોએ મૃત્યુઆંક 2,000 થી વધુ હોવાનો અંદાજ મૂક્યો હતો. તે સમયના CM મોદી પર હિંસાને નજરઅંદાજ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. પત્રકાર રાણા અય્યુબે ભૂતકાળમાં થયેલા રમખાણો પર આધારિત પુસ્તક પણ લખ્યું છે જેનું નામ 'ગુજરાત ફાઇલ્સ' છે.

Tags :
BollywoodGujaratFilesGujaratFirstMoviePMModiTheKashmirFilesTweetVinodKapri
Next Article