આફતાબને જોઈએ છે જામીન, દિલ્હીની સાકેત કોર્ટમાં શનિવારે થશે સુનવણી
દેશના ચકચારી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ આજે સાકેત કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીએ કોર્ટ નંબર 303માં જામીન અરજી કરી હતી. કોર્ટે જામીન અરજી શનિવાર સુધી પેન્ડિંગ રાખી છે. હવે આફતાબની જામીન અરજી પર શનિવારે સુનાવણી થશે.DNA મેચ થયાંપોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આફતાબના છતરપુરના ફ્લેટના રસોડા, બાથરૂમ અને બેડરૂમમાંથી મળેલા લોહીના ડાઘ શ્રદ્ધાના DNA સાથે મેચ થયા છે. આફàª
દેશના ચકચારી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ આજે સાકેત કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીએ કોર્ટ નંબર 303માં જામીન અરજી કરી હતી. કોર્ટે જામીન અરજી શનિવાર સુધી પેન્ડિંગ રાખી છે. હવે આફતાબની જામીન અરજી પર શનિવારે સુનાવણી થશે.
DNA મેચ થયાં
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આફતાબના છતરપુરના ફ્લેટના રસોડા, બાથરૂમ અને બેડરૂમમાંથી મળેલા લોહીના ડાઘ શ્રદ્ધાના DNA સાથે મેચ થયા છે. આફતાબના કહેવા પર શ્રધ્ધાના કેટલાક કપડા જંગલમાંથી મળી આવ્યા હતા. તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. દિલ્હી પોલીસ હજુ સુધી શ્રદ્ધાનો મોબાઈલ ફોન અને સિમ રીકવર કરી શકી નથી.
સરકારી વકિલની નિમણૂંક
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ શ્રદ્ધા હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટમાં સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂંક અંગે દિલ્હી પોલીસ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શ્રદ્ધા હત્યા કેસમાં એડવોકેટ મધુકર પાંડે અને અમિત પ્રસાદ વિશેષ સરકારી વકીલ તરીકે દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરશે.
પોલીસને મળી મોટી સફળતા
આ પહેલા ગુરુવારે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. મહેરૌલીના જંગલમાંથી મળી આવેલા મૃતદેહના ટુકડા શ્રદ્ધાના છે. બુધવારે સાંજે દિલ્હી પોલીસને મળેલા DNA રિપોર્ટ પરથી આ વાત સામે આવી છે. જંગલમાંથી મળેલા મૃતદેહના ટુકડાના DNA શ્રદ્ધાના પિતા વિકાસ વાકર સાથે મેચ થયા છે.
નાર્કો ટેસ્ટના રિપોર્ટની રાહ
પોલીસને આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ પણ મળ્યો છે. દિલ્હી પોલીસ હવે આરોપીના નાર્કો ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ હવે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓનું પોસ્ટમોર્ટમ કરાવશે.
દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર ડૉ. સાગર પ્રીત હુડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસને આરોપીના DNA અને પોલિગ્રાફી ટેસ્ટ સંબંધિત CFSLનો રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટ્સ દિલ્હી પોલીસની તપાસમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
તેમાંથી નાર્કો ટેસ્ટનો રિપોર્ટ સૌથી મહત્વનો છે. તેણે કહ્યું કે, ટૂંક સમયમાં દિલ્હી પોલીસ શ્રદ્ધાના તે અસ્થિઓ પોસ્ટમોર્ટમ માટે મોકલશે, જે તેના પિતા સાથે મેચ થાય છે. હુડ્ડાએ કહ્યું કે, શ્રદ્ધાના શરીરના ટુકડાઓનું એમ્સમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. DNA ટેસ્ટ સંબંધિત તપાસ માટે દિલ્હી પોલીસે લોદી કોલોની સ્થિત CBIની ફોરેન્સિક ટેસ્ટિંગ લેબની મદદ લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement