દૂધમાં ચપટી આ ચીજ ઉમેરીને પીવાથી મટી જશે ડાયેરિયા
ચોમાસાની ઋતુમાં ડાયેરિયા થવાના કેસ વધી જાય છે.ડાયેરિયાની સમસ્યામાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે.ડાયેરિયા થવાનું મુખ્ય કારણ બેક્ટિરિયલ ઈન્ફેક્શન છે.ત્યારે આવો જાણીએ કઈ ચીજોનું સેવન કરવું જોઈએ?ડાયેરિયામાં આ ચીજ ખાવાથી મળે છે ફાયદોકેળા, ભાત, સફરજન, દહીં, છાશ, દાડમ વગેરે ચીજોનું સેવન ડાયેરિયાની સમસ્યામાં લાભકારી સાબિત થાય છે.ડાયેરિયા થાય ત્યારે સરળતાથી પચી શકે તે
03:19 PM Aug 01, 2022 IST
|
Vipul Pandya
- ચોમાસાની ઋતુમાં ડાયેરિયા થવાના કેસ વધી જાય છે.
- ડાયેરિયાની સમસ્યામાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે.
- ડાયેરિયા થવાનું મુખ્ય કારણ બેક્ટિરિયલ ઈન્ફેક્શન છે.
- ત્યારે આવો જાણીએ કઈ ચીજોનું સેવન કરવું જોઈએ?
ડાયેરિયામાં આ ચીજ ખાવાથી મળે છે ફાયદો
- કેળા, ભાત, સફરજન, દહીં, છાશ, દાડમ વગેરે ચીજોનું સેવન ડાયેરિયાની સમસ્યામાં લાભકારી સાબિત થાય છે.
- ડાયેરિયા થાય ત્યારે સરળતાથી પચી શકે તેવો ખોરાક ખાવો જોઈએ.
- ઓછા ડાયેટરી ફાઈબરવાળા ખોરાકનું સેવન ડાયેરિયાની સમસ્યા દરમિયાન કરવું જોઈએ.
- આ સાથે ઓછા મસાલેદાર ખોરાકની સાથે સલાડનું સેવન પણ કરી શકો છો.
- ડાયેરિયાની સમસ્યાથી રાહત મેળવવા પ્રોબાયોટિક ચીજો, જેમ કે દહીંનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
- આ સાથે નારિયેળ પાણી, ઈલેક્ટ્રોલાઈટ વૉટર તેમજ લીંબુ પાણીનું સેવન કરતા રહેવું જોઈએ.
- ડાયેરિયાની સમસ્યાથી રાહચ મેળવવા સ્ટ્રોંગ કૉફીના સેવનથી પણ ફાયદો થાય છે.
- તેમજ જાયફળ પણ ડાયેરિયાની સમસ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે માટે અડધા કપ ગરમ દૂધમાં ચપટી જાયફળ પાવડર મિક્સ કરીને પીવાથી પણ લાભ થાય છે. તેમજ નાના બાળકોને અડધી ચમચી મધ સાથે ચપટી જાયફળ પાવડર મિક્સ કરવાથી ચટાડવાથી પણ ઘણો ફાયદો થશે.
Next Article