108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ, સગર્ભા મહિલા અને બાળકનો બચાવ્યો જીવ
108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ. કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલા પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે 108ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા (ગોદરજી) ગામમાં બન્યો કે જ્યાં મઘીબેન રાકેશભાઈ બારીયા નામની 25
Advertisement

108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ. કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલા પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે 108ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા (ગોદરજી) ગામમાં બન્યો કે જ્યાં મઘીબેન રાકેશભાઈ બારીયા નામની 25 વર્ષની સગર્ભા માતાને સાંજના 6 વાગ્યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપડતા રંઘોળા 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ અંગેની જાણ થતા જ રંઘોળા 108ના ઇ.એમ.ટી. સુરેશ પરમાર અને પાયલોટ રઘુવીરસિંહ ગોહિલ ગણતરીની મિનિટોમાં જ ઉમરાળા તાલુકાના ધોળા(ગોદરજી) ગામે પહોંચી ગયા હતા. તે સમયે સાંજના 6.30 વાગ્યા હતાં અને વાળી વિસ્તાર હતો બીજી તરફ પ્રસૂતાનો ચિત્કાર. કંઈક અણધાર્યું બનવાનો સંકેત આપી રહ્યો હતો પરંતુ જેનું નામ 108ની સેવા છે એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલા સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતા સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવા સાથે જોડિયા બાળકો હોવાનું માલુમ પડ્યું. આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્સો સમય થયો હોવાથી અને જોડિયા બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું.
બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું. આ સંજોગોમાં 108ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને પ્રસૂતિ કરાવી હતી. પરંતુ ડિલિવરીમાં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું નહતું કે રડતું નહતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.
આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું તેથી 108ના સાથે તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોશ્વાસો(BVM) આપવાનું ચાલુ કર્યું. સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશિયન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું. સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું. ત્યારબાદની 20 મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં. આમ મઘીબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતા.
આમ 108ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું. સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની પીડામાંથી મુક્તિ અપાવી જીવ બચાવ્યો હતો. આમ 108ની સેવાને લીધે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો. આ બંને નવજાત શિશુને ત્યારબાદ ઓક્સિજન અને જરૂરી દવા આપીને તેમને વધુ સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરાળા જી. ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડૉ.ઉજવલા મેડમ દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકોનું વજન પણ ઓછું હતું અને સગર્ભા માતાના લોહીના ટકા પણ ઓછા હતા.
ત્યારબાદ બંને બાળકો અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની જરૂરી તપાસ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે બાળકોના તજજ્ઞ ડોક્ટરને બતાવવા માટે લઈ જવામાં આવ્યા હતા અને જરૂરી સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી. આ ક્ષણે સગર્ભા માતાના પરિવારજનો સરકારશ્રીની યોજનાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો આજે 108ની સેવા ન હોત તો અમે અમારી પુત્રવધુ અને સાથે સાથે તેના બે કુમળા બાળકોને પણ ગુમાવી બેઠા હોત અને જો તેવું થયું હોત તો અમે અમારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકતા, તે સાથે સમાજને અને પુત્રવધુના પરિવારને અમે શું જણાવ્યું હોત...??? તેની કલ્પના જ ખૂબ ભયાનક લાગે છે તેમ તેમણે અહોભાવ ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
આમ, સરકારશ્રીની નિઃશુકલ 108 એમ્બ્યુલસ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. ખરા અર્થમાં 108ની સેવા માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં 108ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે. જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે તાલીમબદ્ધ કર્મચારીઓથી સુસજ્જ એવી ભાવનગર જિલ્લાની 108ની સેવા હંમેશા તત્પર અને કટિબદ્ધ રહે છે તેમ 108 સેવાના ઓફિસર ઈરફાન દીવાનએ જણાવ્યું હતું.
Advertisement