આજે ઐતિહાસિક શહેર અંજારનો 1478મો સ્થાપના દિવસ
અંજાર શહેરમાં (Anjar)આરોગ્યની સુવિધા માટે અદ્યતન હોસ્પિટલ તેમજ શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે, પાણી, રસ્તાઓના અનેક કાર્યોથી નગરના કચ્છના અન્ય શહેરોની તુલનાએ વિકાસમાં (Development)પાછળ છે. વર્ષોથી શહેરીજનોની લાગણી-માંગણી અને આ શહેરનો અધિકાર ગણી શકાય તેવું પૂર્વ કચ્છનું વડુંમથક બનાવવાનું સપનું હજુ પણ અધૂરું હોવાનો અફસોસ સતાવી રહ્યો છે અને સુધરાઇને અપગ્રેડ કરાય તો આ શહેરીજનોને હજુ વધુ વિકાસ અનà
10:12 AM Dec 16, 2022 IST
|
Vipul Pandya
અંજાર શહેરમાં (Anjar)આરોગ્યની સુવિધા માટે અદ્યતન હોસ્પિટલ તેમજ શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે, પાણી, રસ્તાઓના અનેક કાર્યોથી નગરના કચ્છના અન્ય શહેરોની તુલનાએ વિકાસમાં (Development)પાછળ છે. વર્ષોથી શહેરીજનોની લાગણી-માંગણી અને આ શહેરનો અધિકાર ગણી શકાય તેવું પૂર્વ કચ્છનું વડુંમથક બનાવવાનું સપનું હજુ પણ અધૂરું હોવાનો અફસોસ સતાવી રહ્યો છે અને સુધરાઇને અપગ્રેડ કરાય તો આ શહેરીજનોને હજુ વધુ વિકાસ અને સુવિધા પ્રાપ્ત થશે તેવી આશાઓ જોવા મળે છે.
આગામી દિવસોમાં વધુ ધંધા-રોજગારની નવી તકો પ્રાપ્ત થશે.
અંજાર શહેરના વિકાસ માટે રાજ્ય સરકારમાં સુધરાઇ દ્વારા શહેરના વિકાસ માટે વિઝન 2030ની ગાઇડ લાઇનમાં શહેરના વિસ્તારને વધારવા માટે તેમજ તાલુકાના સમૃદ્ધ ગામો જીડીએમાંથી પુન: આ શહેરમાં સમાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ધંધા-રોજગારની નવી તકો પ્રાપ્ત થશે.સારા વિકાસ માટે બહુમાળી ભવનનું નિર્માણ, નવી કોલેજ, સીટી બસ, તળાવોની આજુબાજુના દબાણો દૂર કરાવી પાણીના માર્ગ ખુલ્લા કરવા ખૂબજ જરૂરી છે.
શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે
શહેરમાં આગામી દિવસોમાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન વિષયની અદ્યતન કોલેજ મંજૂર કરવા માટે ચાલી રહેલી ગતિ-વિધિથી આગામી દિવસોમાં શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે.શહેરમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 11-12 ધો. વર્ગો મંજૂર થતાં ધો. 1થી 12 સુધી અંગ્રેજી માધ્યમમાં પૂર્ણ કક્ષાની આધુનિક શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે. શહેરને ગ્રીન સિટીમાં પરિવર્તન કરવા માટે જુદા-જુદા વિસ્તારમાં 10 હજારથી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવતી શહેરની સેવાભાવી સંસ્થા ભારતીય વિકાસ પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી પ્રવેશ દ્વારા અંજારથી ભુજ રોડ તેમજ અંજારથી ગાંધીધામ તરફ જતા રસ્તા પર વૃક્ષો વાવી ઉછેરવાની કામગીરી કરતી આ સંસ્થાને વધુ પ્રોત્સાહન દેવું જરૂરી છે. તો બીજી બાજુ હવે જિલ્લા મથક ભુજને જોડતા રસ્તાને અપગ્રેડ કરી ફોરલેનની કામગીરી શરૂ થઇ છે આ ફોર લેન મારગ વિકાસના નવા દ્વાર ખોલે તેવી પણ અપેક્ષા જાગી છે.
શહેરે વર્ષ 2017માં એક લાખની જનસંખ્યા વટાવી છે
અંજાર શહેરે વર્ષ 2017માં એક લાખની જનસંખ્યા વટાવી છે, જેના કારણે તેને આનુષાંગિક સેવાઓ મળી રહેવી જોઇએ. હાલમાં અર્બન વિસ્તાર લેખાય છે. પરંતુ એક લાખની વસતી પાર થયા બાદ સરકાર દ્વારા અંજાર શહેરને અર્બન વિસ્તાર જાહેર કરવો જોઇએ.કચ્છ જિલ્લાનું વિભાજન કરી બે જિલ્લા કરવા માટે અંજારની માંગ અનેક વર્ષો જૂની છે. પરંતુ આ બાબતે અંજારને હંમેશાં નિરાશા સાંપડી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article