Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રભાસની 'આદિપુરુષ' ફરી કોર્ટમાં પહોંચી, પ્રમાણપત્ર વિના ટીઝર રિલીઝ કરવાનો આરોપ

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો ત્યારથી જ તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. સિનેમા જગતને 'તન્હા જી' જેવી શ્રેષ્ઠ ફિલ્મ આપનાર ઓમ રાઉત (Om Raut) દ્વારા દિગ્દર્શિત આ મેગા બજેટ ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ દર્શકોને આ ફિલ્મનું ટીઝર બિલકુલ પસંદ ન આવ્યું. ફિલ્મમાં ભગવાન રામથી લઈને હનુમાન સુધીના દરેકના લુકને લઈને ઘણો વિવાદ થયો હતà«
04:32 AM Jan 14, 2023 IST | Vipul Pandya
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો ત્યારથી જ તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. સિનેમા જગતને 'તન્હા જી' જેવી શ્રેષ્ઠ ફિલ્મ આપનાર ઓમ રાઉત (Om Raut) દ્વારા દિગ્દર્શિત આ મેગા બજેટ ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ દર્શકોને આ ફિલ્મનું ટીઝર બિલકુલ પસંદ ન આવ્યું. ફિલ્મમાં ભગવાન રામથી લઈને હનુમાન સુધીના દરેકના લુકને લઈને ઘણો વિવાદ થયો હતો, પરંતુ રાવણને ખિલજીના વેશમાં જોઈને બધા ખૂબ ગુસ્સે થયા હતા. લાંબા સમય બાદ 'આદિપુરુષ' ને લઈને ચાલી રહેલો વિવાદ શાંત થયો હતો, જ્યારે હવે ફરી કંઈક એવું બન્યું છે જેના કારણે આ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, હવે અલ્હાબાદ હાઈકોર્ટે સેન્સર બોર્ડ પાસેથી 'આદિપુરુષ' ને લઈને જવાબ માંગ્યો છે.

પ્રમાણપત્ર વિના પ્રોમો રિલીઝ થયો !
અલ્હાબાદ હાઈકોર્ટ ની લખનૌ બેંચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સેન્સર બોર્ડને ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'  વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી PIL પર જવાબ દાખલ કરવા માટે નોટિસ જારી કરી છે. ફિલ્મ કેસની આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ થશે. કુલદીપ તિવારીએ દાખલ કરેલી પીઆઈએલ પર આ આદેશ આપવામાં આવ્યો છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે જણાવ્યું છે કે ફિલ્મ નિર્માતાઓએ સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વિના 'આદિપુરુષ' નો પ્રોમો રિલીઝ કર્યો છે, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એટલું જ નહીં, પિટિશનમાં અભિનેત્રી કૃતિ સેનન દ્વારા દેવી સીતાના રોલ માટે પહેરવામાં આવેલા પોશાક પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

કલાકારો ફરી નિશાના પર
'આદિપુરુષ'  વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકોને ભગવાન રામ અને દેવી સીતામાં ઊંડી શ્રદ્ધા છે, પરંતુ ફિલ્મમાં તેમને લોકોની આસ્થા વિરુદ્ધ દર્શાવવામાં આવ્યા છે. આ સાથે રાવણના દ્રશ્યને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ભગવાનની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, દેવદત્ત નાગે અને સની સિંહને પણ પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ સિવાય ફિલ્મના નિર્માતા અને નિર્દેશક ઓમ રાઉત પણ અરજીમાં પ્રતિવાદી છે.

ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે
દશેરાના અવસર પર અયોધ્યામાં તેનું ટીઝર રિલીઝ થયા બાદ જ દેશભરમાં ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો. આ પ્રદર્શનોની સીધી અસર ફિલ્મની રિલીઝ પર પડી હતી. 'આદિપુરુષ' ને લગતા વિવાદોને કારણે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી છે.
આ પણ વાંચો--આજે અભિનેત્રી દુર્ગા ખોટેનો જન્મદિવસ, જાણો તેઓ કેમ ફિલ્મો તરફ વળ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AdipurushGujaratFirstOmRautPILPrabhas
Next Article