ફ્લાઇટમાં કોરોના પ્રોટોકોલ પર દિલ્હી હાઈકોર્ટનો આદેશ, 'મુસાફર નિયમોનું પાલન ન કરે તો...'
દિલ્હી હાઈકોર્ટે કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હવાઈ પ્રવાસીઓ માટે માસ્ક પહેરવાનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે. ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર કોવિડના નિયમોના ઉલ્લંઘન પર દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જે મુસાફરો નિયમોનું પાલન નથી કરતા તેમને એરપોર્ટ અથવા એરક્રાફ્ટની બહાર ફેંકી દેવા જોઈએ.પીઆઈએલની સુનાવણી કરતા, એક્ટિંગ ચીફ જસ્ટિસ (એસીજે) વિપà
દિલ્હી હાઈકોર્ટે કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હવાઈ પ્રવાસીઓ માટે માસ્ક પહેરવાનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે. ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર કોવિડના નિયમોના ઉલ્લંઘન પર દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જે મુસાફરો નિયમોનું પાલન નથી કરતા તેમને એરપોર્ટ અથવા એરક્રાફ્ટની બહાર ફેંકી દેવા જોઈએ.
પીઆઈએલની સુનાવણી કરતા, એક્ટિંગ ચીફ જસ્ટિસ (એસીજે) વિપિન સાંઘીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે એરપોર્ટ પર નિયમો લાગુ કરવા જોઈએ અને પ્લેનમાં માસ્ક ન પહેરનારાઓ પર ભારે દંડ લાદવો જોઈએ, ઇન્ડિયા ટુડેએ અહેવાલ આપ્યો છે.ACJએ કહ્યું કે માસ્કને ફરજિયાત બનાવવા પાછળનો હેતુ કોવિડના જોખમને ઘટાડવાનો છે. કોર્ટે કહ્યું કે તમે કંઇક ખાતા-પીતા સમયે માસ્ક ઉતારી શકો છો. ફ્લાઈટમાં માસ્ક પહેરવાનું પહેલાથી જ નિયમોમાં છે.
અરજદારે કોર્ટને વિનંતી કરી કે આ બધાની તપાસ કરવા માટે નિષ્ણાતની નિમણૂક કરવાનું વિચારે. અરજદારે વધુમાં કહ્યું કે પ્રવાસ દરમિયાન તેણે જોયું છે કે લોકો માસ્ક પહેરતા નથી. તેનો ચુસ્તપણે અમલ થતો નથી. એક્ટિંગ સીજે વિપિન સાંઘીએ કહ્યું, 'અમે તે જ કહેવા જઈ રહ્યા છીએ. માસ્ક હોવો જોઈએ.
Advertisement