Valsad ના કલેક્ટર આયુષ ઓકને કરાયા સસ્પેન્ડ, જમીન ગોટાળા મામલે થઈ કાર્યવાહી
Valsad: વલસાડના કલેક્ટર આયુષ ઓક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જાણકારી પ્રમાણે આયુષ ઓકને વલસાડ કલેકટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કલેકટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. મળતી વિગતો પ્રમાણે આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેકટર પદે હતા. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતાં સન્નાટો છવાયો છે.
જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા
ભ્રષ્ટાચાર સામે દાદા સરકારનું આવકારદાયક પગલું
નોંધનીય છે કે, રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મામલે આકરી કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારએ મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ચાલતા કૌભાંડ કેસમાં વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેકટર પદે હતા. સુરતમાં ફરજ દરમિયાન તેમણે જમીન મામલે ગોટાળો કર્યો હતો. જમીનમાં કૌભાંડ બદલ રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ખુબ જ લાંબા સમયથી સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહીં હતી. જેથી તપાસના દાદા સરકાર દ્વારા અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સન્નાટો છે.
Big Breaking: સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારની મોટી કાર્યવાહી https://t.co/IKgres0yyy
— Gujarat First (@GujaratFirst) June 10, 2024
ભ્રષ્ટાચારી સામે દાદા સરકારની લાલ આંખ
દાદા સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર અત્યારે ભ્રષ્ટાચાર મામલે આકરા પગલા લઈ રહીં છે. જેમાં કાર્યવાહી કરતા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે જમીન મામલે કૌભાંડ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ વલસાડમાં કલેક્ટર પદે આવ્યા હતા. જો કે, અત્યારે રાજ્ય સરકારે તેમને (આયુષ ઓક)ને કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.