Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્યની આ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પીનટ બટર ના ખાવું જોઈએ, જાણો

પીનટ બટર ખાવાના ઘણા ફાયદા છે. તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તેમાં પ્રોટીન, ફાઇબર, ચરબી અને કેલરી ભરપૂર છે. આયર્ન, ઝિંક, વિટામિન્સ અને પોટેશિયમથી ભરપૂર, પીનટ બટર ભૂખને કંટ્રોલ કરે છે. આટલા બધા ફાયદા હોવા છતાં, હેલ્થ એક્સપર્ટ માને છે કે કેટલીક સમસ્યાઓથી પીડાતા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.આ લોકોએ પીનટ બટર ખાવું જોઈએ નહીજો કોઈ વ્યક્તિને હૃદય સંબંધિત બીમારીઓ હોય તો તેણે પà
આરોગ્યની આ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પીનટ બટર ના ખાવું જોઈએ  જાણો
પીનટ બટર ખાવાના ઘણા ફાયદા છે. તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તેમાં પ્રોટીન, ફાઇબર, ચરબી અને કેલરી ભરપૂર છે. આયર્ન, ઝિંક, વિટામિન્સ અને પોટેશિયમથી ભરપૂર, પીનટ બટર ભૂખને કંટ્રોલ કરે છે. આટલા બધા ફાયદા હોવા છતાં, હેલ્થ એક્સપર્ટ માને છે કે કેટલીક સમસ્યાઓથી પીડાતા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
આ લોકોએ પીનટ બટર ખાવું જોઈએ નહી
  • જો કોઈ વ્યક્તિને હૃદય સંબંધિત બીમારીઓ હોય તો તેણે પીનટ બટરનું સેવન કરવું જોઈએ નહી. આ કારણે તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. પીનટ બટર ખાતી વખતે તેની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે.
  • જો તમને સ્થૂળતાની સમસ્યા છે તો તમારે પીનટ બટરથી દૂર રહેવું જોઈએ અથવા તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ. પીનટ બટરનું વધારે પડતું સેવન કરવાથી તમારી સ્થૂળતા વધુ વધી શકે છે કારણ કે તેમાં પ્રોટીન અને ચરબી મોટા પ્રમાણમાં હોય છે.
  • ચામડીને લગતા પ્રશ્નો હોય તે લોકોએ ક્યારેય પીનટ બટરનું સેવન કરવું જોઈએ નહી. જો તમારા શરીર પર લાલ ફોલ્લીઓની સમસ્યા હોય તો તમારે પીનટ બટરનું સેવન ટાળવું હિતાવહ છે.
  • વધારે પડતા પીનટ બટરના સેવનથી કેટલાક લોકોને પેટ ફુલવું અને પેટમાં સોજો આવવાની તકલીફ આવી શકે છે. પીનટ બટર એક ફાઈબર ફુડ છે જેનાથી તમારું પેટ ભરાયેલું લાગે છે.
  • કિડની સાથે જોડાયેલી બિમારીઓનો સામનો કરી રહેલા દર્દીઓએ પીનટ બટરથી દુર રહેવું. પીનટ બટરમાં આવતા અફ્લેટોક્સિન પોયઝનિંગથી લિવર ડેમેજનો ભય રહે છે તેથી તેનું વધારે પડતું સેવન ટાળવું.
Advertisement
Tags :
Advertisement

.