Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિંદે સરકારે વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલ્યું, જાણો હવે ક્યા નામે ઓળખાશે?

મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યુ છે જ્યારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતું કરવામાં આવ્યું છે. નામ બદલવાનો નિર્ણય ગયા મહિને લીધો હતો.   કેબિનેટની બેઠકમાં નિર્ણય...
શિંદે સરકારે વર્સોવા બાંદ્રા સી લિંકનું નામ બદલ્યું  જાણો હવે ક્યા નામે ઓળખાશે

મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યુ છે જ્યારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતું કરવામાં આવ્યું છે. નામ બદલવાનો નિર્ણય ગયા મહિને લીધો હતો.

Advertisement

કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો

Advertisement

મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લેતા મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દીધું છે. આ સાંથે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલવામાં આવ્યું છે અને હવે તે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતુ તરીકે ઓળખાશે. આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગયા મહિને સાવરકરના જન્મદિવસના દિવસે જાહેરાત કરી હતી કે બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ હિન્દુત્વના વિચારક વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય શૌર્ય પુરસ્કારની જેમ રાજ્ય કક્ષાના શૌર્ય પુરસ્કારને પણ સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે.

Advertisement

700 બાળાસાહેબ ક્લિનિક્સ ખુલશે

શિંદે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 700 સ્થળોએ બાળાસાહેબ ઠાકરે ક્લિનિક્સ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કેબિનેટ બેઠકમાં ભામા આસખેડ પ્રોજેક્ટની કેનાલો રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્રણ તાલુકાના ખેડૂતોને તેનો લાભ મળશે. સીએમ શિંદેએ ટ્વિટ કરીને કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી છે. આ ઉપરાંત મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્માન પ્રધાન મંત્રી આરોગ્ય યોજના સંયુક્ત રીતે અમલમાં આવશે. 2 કરોડ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવશે, જે અંતર્ગત 5 લાખનું હેલ્થ કવર મળશે. સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાલ યોજનાની રકમ રૂ.1000થી વધારીને રૂ.1500 કરવામાં આવી છે. આ સાથે જ છત્રપતિ સંભાજીનગરમાં મરાઠવાડા મુક્તિ યુદ્ધનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જાલનાથી જલગાંવ સુધી નવી બ્રોડગેજ રેલ્વે લાઇન માટે રૂ. 3552 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 9 જગ્યાએ નવી સરકારી ડિગ્રી કોલેજો સ્થાપવા માટે 4365 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આપણ  વાંચો -શું છે ટોક ઓફ ધ નેશન બનેલો UNIFORM CIVIL CODE, હાલ કયા કયા દેશોમાં છે લાગુ ?

Tags :
Advertisement

.