Rajkot મનપાની મિલીભગતનું વધુ એક કૌભાંડ!
રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માધાપર ચોકડી અંડરપાસ નહીં બનાવવાના નિર્ણયથી સવાલ ઉઠી રહ્યા છે. ડે.મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં રોજ એક લાખ વાહનોની અવર...
રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માધાપર ચોકડી અંડરપાસ નહીં બનાવવાના નિર્ણયથી સવાલ ઉઠી રહ્યા છે. ડે.મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં રોજ એક લાખ વાહનોની અવર જવર રહે છે અને તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2020માં ઓવરબ્રિજ અને અંડર પાસનું ટેન્ડર બહાર પડાયુ હતું.જો કે એક વર્ષ પહેલા બ્રિજ બન્યો પણ અંડર પાસ બન્યો નથી. બિલ્ડરને લાભ ખટાવવા સાંસદ રામભાઈ પાસે પત્ર વ્યવહાર કરાવ્યાની ચર્ચા ચાલી રહી છે. CRP ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સરકારને રજૂઆત કરી કામમાંથી મુક્તિ માગી છે કોન્ટ્રાક્ટરે કામમાંથી મુક્તિ માગતા અનેક સવાલ ઉભા થયા છે.
Advertisement