સ્વામિનારાયણ નગરમાં ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું સંત દ્વાર
અમદાવાદ માં વિશ્વના સૌથી મોટા મહોત્સવ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી (Pramukh Swami Maharaj) મહારાજ શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav) નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કાર્યક્રમમાં અનેકવિધ આકર્ષણો લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. તમે જ્યારે પણ સ્વામીનારાયણ નગરની મુલાકાતે જાઓ ત્યારે સૌથી પહેલા આવે છે પ્રવેશ દ્વાર..સંત દ્વાર જેનું નામ આપવામાં આવ્યું છે.7 પ્રવેશ દ્વાર બનાવાયાસ્વામિનારાયણ નગરમાં અનેક આકર્ષણો લà«
અમદાવાદ માં વિશ્વના સૌથી મોટા મહોત્સવ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી (Pramukh Swami Maharaj) મહારાજ શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav) નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કાર્યક્રમમાં અનેકવિધ આકર્ષણો લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. તમે જ્યારે પણ સ્વામીનારાયણ નગરની મુલાકાતે જાઓ ત્યારે સૌથી પહેલા આવે છે પ્રવેશ દ્વાર..સંત દ્વાર જેનું નામ આપવામાં આવ્યું છે.
7 પ્રવેશ દ્વાર બનાવાયા
સ્વામિનારાયણ નગરમાં અનેક આકર્ષણો લોકોના મન મોહી રહ્યા છે.આ આકર્ષણો વચ્ચે આ છે સંત દ્વાર.આમ તો સ્વામિનારાયણ નગરમાં 7 જેટલા પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે પરંતુ મુખ્ય પ્રવેશ દ્વાર છે સંત દ્વાર. સંત દ્વારને જ્ઞાનાનંદ સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ગેટની વિશેષતા એ છે કે આ ગેટ 380 ફૂટ લાંબો છે. ગેટ 38 ફૂટ ઉંચો બનાવાયો છે.
ગેટની આ ખાસિયતો
આ ગેટ 28 ફૂટ પહોળો છે. આ ગેટમાં તમે જ્યારે પ્રવેશો ત્યારે ગેટ પાસે પંચધાતુની અનેક મૂર્તિઓ જોવા મળશે..આ મૂર્તિઓ ભારત વર્ષના સંતોની છે.સમાજના ઉત્થાનમાં જેમનો સિંહ ફાળો છે એવા સંતોની મૂર્તિઓ ગેટ પર મુકવામાં આવી છે. સંતોના સાનિધ્યમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. સંતોના સાનિધ્યથી સારા વિચારો આવે છે. સારા વિચારો લઇને વ્યક્તિ નગરમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તે પોઝિટિવ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement