Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જંતર-મંતર પર મોડી રાતે પોલીસ અને Wrestlers વચ્ચે કુસ્તી

Wrestlers protest : દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ચાલી રહેલા ધરણામાં 3જી અને 4મી મેની મધ્યરાત્રિએ હંગામો થયો હતો. કુસ્તીબાજોએ મારપીટનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં એક રેસલર ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘટના બાદ દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ...
જંતર મંતર પર મોડી રાતે પોલીસ અને wrestlers વચ્ચે કુસ્તી

Wrestlers protest : દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ચાલી રહેલા ધરણામાં 3જી અને 4મી મેની મધ્યરાત્રિએ હંગામો થયો હતો. કુસ્તીબાજોએ મારપીટનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં એક રેસલર ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘટના બાદ દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલ, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ, ધારાસભ્ય કુલદીપ અને અન્ય ઘણા નેતાઓ જંતર-મંતર પહોંચ્યા, જેમને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

Advertisement

વરસાદને કારણે બેડ મંગાવ્યા

કુશ્તીબાજો નો આરોપ છે કે વરસાદને કારણે તેઓએ બેડ મગાવ્યા હતા. પોલીસ ધરણાં સ્થળ પર પહોંચે તે પહેલા આ બેડને અટકાવ્યા હતા ત્યારે હોબાળો શરૂ થયો હતો. સોમનાથ ભારતીએ આ માટે પરવાનગી લીધી ન હતી. આના પર દિલ્હી પોલીસે તેને રોક્યો હતો. પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા બાદ ત્યાં હાજર સોમનાથ ભારતીના સમર્થકો ઉશ્કેરાઈ ગયા અને ટ્રકમાંથી પથારી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા.

Advertisement

પોલીસ પર આરોપો

આ દરમિયાન પોલીસ અને સોમનાથ ભારતીના સમર્થકો અને કુસ્તીબાજો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દિલ્હી પોલીસે સોમનાથ ભારતીને અન્ય બે લોકો સાથે કસ્ટડીમાં લીધા છે. આ અંગે કુસ્તીબાજોનું કહેવું છે કે, પાણી ભરાઈ ગયું છે. સૂવાની જગ્યા નથી. પોલીસમેન ધક્કો મારવા લાગ્યો. અન્ય પોલીસકર્મી દારૂ પી રહ્યો છે. શું તે દિવસ જોવા માટે મેડલ લાવ્યો હતો?

Advertisement

રેસલરનું દર્દ છલકાયું

જ્યારે રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તે એક સ્પોર્ટ્સપર્સન છે જેણે દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેનીમ સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આંખોમાં આંસુ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે કહ્યું કે જો તમે અમને મારવા માંગતા હોવ તો અમને મારી નાખો. શું અમે આ દિવસ જોવા માટે દેશ માટે મેડલ જીત્યા હતા?

પોલીસની પ્રતિક્રિયા

ડીસીપી પ્રણવ તયાલે જણાવ્યું કે, જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પરવાનગી વગર પલંગ સાથે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે સમર્થકો આક્રમક બની ગયા હતા અને ટ્રકમાંથી પથારી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નજીવી બોલાચાલી થઈ અને સોમનાથ ભારતી સહિત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી.

આ પણ વાંચો : વર્ષનું પહેલું CYCLONE આ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે! રાજ્ય સરકાર એલર્ટ

Tags :
Advertisement

.