Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ramanathaswamy Temple: હાથમાં રુદ્રાક્ષ , તન પર અંગવસ્ત્રમ સંગ અંગી તીર્થમાં ડૂબકી

Ramanathaswamy Temple: તાજેતરમાં, PM Narendra Modi એ તામિલનાડુની મુલાકાત કરી હતી. તે દરમિયાન 20 જાન્યુ. એ અંગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન PM Modi હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલા...
ramanathaswamy temple  હાથમાં રુદ્રાક્ષ   તન પર અંગવસ્ત્રમ સંગ અંગી તીર્થમાં ડૂબકી

Ramanathaswamy Temple: તાજેતરમાં, PM Narendra Modi એ તામિલનાડુની મુલાકાત કરી હતી. તે દરમિયાન 20 જાન્યુ. એ અંગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી.

Advertisement

આ દરમિયાન PM Modi હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળ્યા હતા. PM Modi ને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી. તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો હતો.

Ramanathaswamy Temple

Ramanathaswamy Temple

Advertisement

આ મંદિર રામાયણ સાથે સંબંધિત છે

એક અહેવાલ અનુસાર તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં સ્થિત શિવ મંદિર પણ રામાયણ સાથે સંબંધિત છે, કારણ કે અહીંના શિવલિંગની સ્થાપના શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન રામ અને દેવી સીતાએ અહીં પ્રાર્થના કરી હતી.

Advertisement

તિરુચિરાપલ્લી જિલ્લાના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ PM Modi Air Force ના Helicopter માં રામનાથપુરમ પહોંચ્યા હતા. અહીં BJP ના કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM Modi તમિલનાડુના રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેનારા પ્રથમ Prime Minister છે.

PM Modi એ હાથી પાસેથી આશીર્વાદ લીધા હતા

પૂજા દરમિયાન PM Modi એ પરંપરાગત પોશાક ધોતી અને શાલ પહેરીને ભગવાન વિષ્ણુના મંદિરમાં પૂજા કરી હતી. PM Modi એ વૈષ્ણવ સંત-ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્રથઝ્વરને સમર્પિત વિવિધ પૂજા સ્થાનો પર પ્રાર્થના કરી હતી. અહીં તેમણે અંડલ નામના હાથીને ગોળ ખવડાવ્યો અને તેના આશીર્વાદ લીધા હતા.

તમિલમાં મંદિરના ઈષ્ટદેવ રંગનાથર તરીકે ઓળખાય છે. રંગનાથસ્વામી મંદિર વતી Modi ને શાલ અને કપડાં અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રીરંગમ મંદિર તમિલનાડુનું એક પ્રાચીન વૈષ્ણવ મંદિર છે. આ મંદિરના નિર્માણમાં ચોલ, પંડ્યા, હોયસાલા અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: SC Senior Advocate: ઈતિહાસ એક દિવસમાં નથી રચાતું, પણ… 57 વર્ષે જરૂર રચાય છે

Tags :
Advertisement

.