Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવી ભૂલો જે લગભગ 90 ટકાથી વધુ લોકો મંદિરમાં કરતા હોય છે..

ઘણાં એવા કાર્યો છે, જે ક્યારે કરવા અને ક્યારે ન કરવા તે બાબતે જાણવાની લોકોને ઘણી જ ઉત્સુકતા રહેતી હોય છે.. ત્યારે એવી ઘણી ધાર્મિક બાબતો છે, જેમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તેવી જ રીતે ઘણાં લોકો પૂજામાં પણ એવી કેટલીક ભૂલો કરી બેસતાં હોય છે, જે ન કરવી જોઈએ. આવો જણાવીએ આવી જ કેટલીક ભૂલો વિશે...શાસ્ત્રો મુજબ પૂજામાં નિષેધ કાર્યો1) ગણેશજીને તુલસી ન ચઢાવવી2) દેવીને દુર્વા ન ચઢાવો3) શિવલિંગ પર
એવી ભૂલો જે લગભગ 90 ટકાથી વધુ લોકો મંદિરમાં કરતા હોય છે
ઘણાં એવા કાર્યો છે, જે ક્યારે કરવા અને ક્યારે ન કરવા તે બાબતે જાણવાની લોકોને ઘણી જ ઉત્સુકતા રહેતી હોય છે.. ત્યારે એવી ઘણી ધાર્મિક બાબતો છે, જેમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તેવી જ રીતે ઘણાં લોકો પૂજામાં પણ એવી કેટલીક ભૂલો કરી બેસતાં હોય છે, જે ન કરવી જોઈએ. આવો જણાવીએ આવી જ કેટલીક ભૂલો વિશે...

શાસ્ત્રો મુજબ પૂજામાં નિષેધ કાર્યો
1) ગણેશજીને તુલસી ન ચઢાવવી
2) દેવીને દુર્વા ન ચઢાવો
3) શિવલિંગ પર કેતકીના ફૂલ ચઢાવશો નહીં.
4) તિલકમાં વિષ્ણુને અક્ષત ન ચઢાવો
5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા
6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી
7) તુલસીનું પાત્ર ચાવીને ન ખાશો.
8) બૂટ-ચંપલ દરવાજા પર ઉંધા ન રાખવા.
9) દર્શન કર્યા પછી બહાર પરત ફરતી વખતે ઘંટ વગાડશો નહીં.
10) આરતી એક હાથે ન લેવી જોઈએ
Ideal days to visit different temples | Astro | Astrology | Onmanorama |  prediction | God | Goddess | religion | temple visit
11) બ્રાહ્મણને આસન વગર ન બેસાડવા જોઈએ.
12) સ્ત્રી દ્વારા પ્રણામ કરવાની મનાઈ છે.
13) દક્ષિણા વગર જ્યોતિષીને પ્રશ્નો પૂછવા ન જોઈએ.
14) ઘરમાં પૂજા કરવા માટે અંગુઠાથી મોટું શિવલિંગ ન રાખવું
15) તુલસીના વૃક્ષમાં શિવલિંગ કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ
16) ગર્ભવતી સ્ત્રીને શિવલિંગને અડવું નહીં.
17) મહિલાને મંદિરમાં નાળિયેર ફોડવું (વધેરવું) નહીં.
શ્રીફળ વધેરતાં સમય એ ક્યારેયનાં કરો આ ભૂલ નહીં તો થઈ જશો કંગાળ,જાણીલો  ફટાફટ....... - Laherilala
18) રજસ્વલા સ્ત્રીનો મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે
19) પરિવારમાં સૂતક હોય તો પૂજા કરશો નહીં અને મૂર્તિને અડશો નહીં
20) શિવજીની સંપૂર્ણ પરિક્રમા થતી નથી.
21) શિવલિંગ પરથી પસાર થતા પાણીને પાર ન કરવું જોઈએ
22) એક હાથે નમન ન કરો.
Hindu Prayer Art | Fine Art America
23) તમારો દીવો બીજાના દિવાથી પ્રગટાવવો નહી.
24.1) ચારણામૃત લેતી વખતે જમણા હાથ નીચે નેપકિન મૂકો, જેથી એક ટીપું પણ નીચે ન પડે. 
24.2) ચરણામૃત પીને માથા કે શિખા પર હાથ ન લૂછવો, પરંતુ આંખો પર લગાવો શિખા પર ગાયત્રીનો વાસ છે તેને અપવિત્ર ન કરો.
25) દેવતાઓને લોહાનનો ધૂપ અથવા નિમ્નતાની અગરબત્તીનો ધૂપ પ્રગટાવવો નહીં.
26) શનિદેવની અને હનુમાનજીની મૂર્તિને સ્ત્રીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે
27) કુંવારી કન્યા પાસે પગે લગાવવું પાતક છે 
28) મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા સહકાર આપવો
29) મંદિરમાં ભીડ હોય ત્યારે લાઈનમાં રહો અને ભગવાનના દર્શન કરતા રહો.
30) ભૈરવ સિવાયના અન્ય મંદિરમાં દારૂડિયાનો પ્રવેશ વર્જિત છે
31) મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો જમણો પગ મૂકવો જોઈએ અને બહાર નીકળતી વખતે ડાબો પગ પહેલા રાખવો જોઈએ.
32) ઘંટડીને એટલી જોરથી વગાડશો નહીં કે તેનાથી કર્કશ અવાજ આવે.
34) શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી કપડા અલગ રાખો.
35) જો મંદિર દૂર ન હોય તો જૂતા-ચપ્પલ વગર ચાલતાં મંદિર જેવું જોઈએ.
36) મંદિરમાં ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરો અને મંદિરમાંથી ઉભા-ઉભ જ પરત ન ફરો, બે મિનિટ બેસીને ભગવાનના રૂપના નિરાંતે દર્શનનો લાભ લો.
37) આરતી લીધા પછી અથવા દીવાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવાનું સુનિશ્ચિત કરો.
માનવામાં આવે છે કે આ બધી પરંપરાઓ આપણા મુનિઓ પાસેથી પ્રાપ્ત થઈ છે.. 
Advertisement
Tags :
Advertisement

.