Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand : 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપીને HC એ મૃત્યુદંડમાંથી આપી મુક્તિ, તર્ક ચોંકાવનારું...!

ઝારખંડ (Jharkhand) હાઈકોર્ટે (HC) 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. રાજમહેલ, ઝારખંડ (Jharkhand)ની POCSO કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે (HC) શોધી કાઢ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગુનામાં સંડોવણીના કોઈ પુરાવા...
jharkhand   6 વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપીને hc એ મૃત્યુદંડમાંથી આપી મુક્તિ  તર્ક ચોંકાવનારું

ઝારખંડ (Jharkhand) હાઈકોર્ટે (HC) 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. રાજમહેલ, ઝારખંડ (Jharkhand)ની POCSO કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે (HC) શોધી કાઢ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગુનામાં સંડોવણીના કોઈ પુરાવા નથી. કોર્ટે કહ્યું કે આરોપી અને પીડિત (મૃતક)ને માત્ર છેલ્લીવાર જોવું એ દોષિત ઠેરવવા માટે પૂરતો પુરાવો નથી. આ ઘટના 4 માર્ચ 2015 ના રોજ સાહિબગંજ જિલ્લાના રાજમહેલમાં બની હતી.

Advertisement

રાહત શેખને નિર્દોષ જાહેર કર્યા છે...

શિમલા બહલ પોખર ગ્રાઉન્ડ પાસે છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના કપડા અસ્તવ્યસ્ત હતા અને તેના ગળા પર ઈજાના નિશાન હતા. પરિવારના સભ્યોની ફરિયાદ પર આ કેસમાં રાહત શેખ નામના વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. FIR મુજબ, રાહત શેખ તે દિવસે સાંજે 5 વાગ્યે બાળકીને ખભા પર લઈને ખેતર તરફ જતો જોવા મળ્યો હતો. બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હોવાની પરિવારજનોને શંકા હતી. આ કેસની સુનાવણી દરમિયાન રાજમહેલની વિશેષ POCSO કોર્ટે પોલીસ અધિકારી અને ફરિયાદ પક્ષના તપાસકર્તા પોલીસ અધિકારી સહિત 12 સાક્ષીઓની તપાસ કરી હતી. કેટલાક સાક્ષીઓએ કહ્યું કે તેઓએ રાહત શેખને છોકરીને પોતાની સાથે શિમલા બહલ પોખર મેદાન તરફ લઈ જતા જોયો હતો.

Advertisement

POCSO કોર્ટે 2022 માં ફાંસીની સજા સંભળાવી હતી...

ટ્રાયલ પૂર્ણ થયા બાદ, POCSO કોર્ટે 1 ડિસેમ્બર 2022 ના રોજ રાહત શેખને દોષિત ઠેરવ્યો અને 12 ડિસેમ્બર 2022 ના રોજ તેને મૃત્યુદંડની સજા સંભળાવી. આ પછી, રાજ્ય સરકારે આરોપીની ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, તો બીજી તરફ રાહત શેખે પણ POCSO કોર્ટના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી.

કોર્ટે નિર્દોષ છોડવાનું કારણ આપ્યું...

હવે હાઈકોર્ટે (HC) પોતાના નિર્ણયમાં કહ્યું કે ત્રણ-ચાર લોકોએ આરોપીને બાળકીને લઈ જતા જોયો, પરંતુ માત્ર આના આધારે તેને દોષિત માની શકાય નહીં. સંશોધનમાં ઘટનાનો સમય અને મૃતકની લાશ શોધવાના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. તેની સાથે કોઈ દુશ્મની નહોતી. તે દરરોજ બાળકીને ફરવા લઈ જતો હતો અને બાળકીને મારવા પાછળ તેનો કોઈ હેતુ નહોતો.

Advertisement

આ પણ વાંચો : WEST BENGAL: શું છે ‘કાંગારૂ કોર્ટ ? બંગાળમાં મહિલા સાથે ગેરવર્તણૂક બાદ આ નામ ચર્ચામાં

આ પણ વાંચો : PM Modi : ’10 વર્ષ થયા, હજુ 20 વર્ષ બાકી છે, કોંગ્રેસની એક તૃતીયાંશ સરકારના કટાક્ષ પર મોદીનો પલટવાર…

આ પણ વાંચો : Hathras Stampede : અકસ્માત બાદ હાથરસ પહોંચ્યા CM યોગી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા…

Tags :
Advertisement

.