Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હૈદરાબાદ અરાજકતા ટી. રાજા સિંહના નફરતભર્યા ભાષણનું સીધું પરિણામઃ ઓવૈસી

શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં રાજા સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના છૂટાછવાયા બનાવો બન્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડની માંગ કરતા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે હૈદરાબાદના  અમુક ભાગોમાં વિરોધ થયો હતો જે કથિત નફરતનું પરિણામ છે. જે ભાજપના નેતાના ભાષણના કારણે છે. ભારતà
હૈદરાબાદ અરાજકતા ટી  રાજા સિંહના નફરતભર્યા ભાષણનું સીધું પરિણામઃ ઓવૈસી
શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં રાજા સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના છૂટાછવાયા બનાવો બન્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડની માંગ કરતા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે હૈદરાબાદના  અમુક ભાગોમાં વિરોધ થયો હતો જે કથિત નફરતનું પરિણામ છે. જે ભાજપના નેતાના ભાષણના કારણે છે. 
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડની માંગ કરતા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે હૈદરાબાદના ભાગોમાં વિરોધ થયો હતો પરંતુ આ ભાજપના નેતાનું ભાષણની કથિત નફરતનું પરિણામ છે. 
Advertisement

હૈદરાબાદના સાંસદે ટ્વિટર પર કહ્યું, “આ સ્થિતિ રાજા સિંહના નફરતભર્યા ભાષણનું સીધું પરિણામ છે. તેને વહેલી તકે જેલમાં મોકલવો જોઈએ. હું ફરી એકવાર શાંતિ જાળવી રાખવાની મારી અપીલને પુનરાવર્તિત કરું છું. હૈદરાબાદ આપણું ઘર છે, તેને કોમવાદનો શિકાર ન બનવાવું જોઈએ. ટ્વિટર પર ઓવૈસીએ કહ્યું કે પોલીસે બુધવારે શાહ અલી બંદા વિસ્તારમાંથી 90 લોકોની અટકાયત કરી હતી અને તેમની દરમિયાનગીરી પછી, અટકાયતમાં લેવામાં આવેલા લોકોને છોડી દેવામાં આવ્યા હતા.
AIMIMના ધારાસભ્ય અહેમદ બિન અબ્દુલ્લા બલાલા અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ટીના કાઉન્સિલરોએ તણાવને ઓછો કરવા માટે આખી રાત કામ કર્યું. 
શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં રાજા સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના છૂટાછવાયા બનાવો બન્યા છે. સિંહની 23 ઓગસ્ટે એક વીડિયોમાં ઈસ્લામ અને પયગંબર મોહમ્મદ વિશે કથિત ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોને બાદમાં સોશિયલ મીડિયા ફોરમ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. સાથે જ બાળકો તરફથી સૂત્રોચ્ચાર કરવા બદલ ભાજપના સસ્પેન્ડેડ નેતા રાજા સિંહ સામે કેસ નોંધાયો છે. સિંઘને સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા. કોર્ટે જામીન આપ્યા બાદ શહેરના કેટલાક ભાગોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો જે બુધવારે બપોર સુધી ચાલ્યો હતો.
ઓવૈસીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'ડીસીપી દક્ષિણને મારી રજૂઆત પર શાહ અલી બંદા અને આશા ટોકીઝનો વિરોધ કરી રહેલા 90 યુવાનોને મુક્ત કરવામાં આવ્યા છે. AIMIM ના ધારાસભ્ય અહેમદ બિન અબ્દુલ્લા બલાલા અને અમારા કાઉન્સિલરોએ આખી રાત તણાવ ઓછો કરવા માટે કામ કર્યું. હાલમાં હું તેમના અને પોલીસના પણ સંપર્કમાં છું.
Tags :
Advertisement

.