Gadhada ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી, સ્વામી પર તકાઇ રહી છે શંકાની સોય
Gadhada: સ્વામીનારાયણ સંપ્રદાય અત્યારે ઘણો વિવાદમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં માત્ર 48 જ કલાકમાં બે સ્વામીના વીડિયો વાયરલ થયા છે. તેને લઇને સંત પરંપરા પર અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક લગાવતા હેવાનો બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. એક પછી એક લંપટ સ્વામીનો વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે, જેથી સતાનત સંસ્કૃતિ પર પણ સવાલો થઈ રહ્યા છે. સંત, સનાતન અને સ્વામી પરંપરાને એક પછી એક શેતાન સંતો લજવી રહ્યા છે.
શા માટે હરિજીવન સ્વામી ઉતર્યા લંપટ સ્વામીના બચાવમાં?
તમને જણાવી દઈએ કે, ગઢડા ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી સામે આવી છે. લંપટ સ્વામીને છાવરતા હરિજીવન સ્વામીના હવાતિયા જોવા મળ્યા છે. અનેક જગ્યાએ ફોન કૉલ્સ કરી હરિજીવનના લંપટને બચાવવા ફાંફા મારી રહ્યા છે. નોંધનીય છે કે, લંપટ સ્વામી ભગવતપ્રસાદને બચાવવાના પ્રયાસોથી શંકા ઉભી થઇ છે. હરિજીવન સ્વામી પર જ શંકાની સોય તકાઇ રહી છે. આ આખરે શા માટે હરિજીવન સ્વામી લંપટ સ્વામીને બચાવી રહ્યા છે? શું લંપટ ભગવતપ્રસાદ સ્વામી હરિજીવનનું કોઈ ખતરનાક રહસ્ય જાણે છે? કે પછી ભગવતપ્રસાદની સાથે અન્ય સ્વામીઓ પણ સામેલ હશે? નોંધનીય છે કે, વાયરલ વીડિયોને લઈને લંપટ સ્વામી વિરુદ્ધ લોકોની ફટકાર લાગી છે.
શું આ સ્વામી સામે કોઈ આકરા પગલા લેવાશે?
વડતાલના સત્યસ્વરૂપ બાદ ગઢડાના સ્વામી (Gadhada swami)નો બિભત્સ વીડિયો વાયરલ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો ગઢડાના ભગવતપ્રસાદ દાસજી નામના સાધુનો બિભત્સ વીડિયો અત્યારે સામે આવ્યો છે. આ હેવાન અને સંત પરંપરાને લજવતો સ્વામી ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુસ્વામીના મંડળના છે. નોંધનીય છે કે, સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા હરિભક્તોમાં નારાજગી વ્યાપી છે. પરંતુ શું આ સ્વામી સામે કોઈ આકરા પગલા લેવાશે? કારણ કે, ગઢડાના સ્વામીરૂપમાં શેતાનનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે.