Exit Poll Time : ચૂંટણી પંચની મહત્વની જાહેરાત, Exit Poll જાહેર કરવાના સમયમાં કર્યો મોટો ફેરફાર...
દેશના ચૂંટણી પંચે Exit Poll જાહેર કરવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે Exit Poll 30 નવેમ્બરે સાંજે 5:30 વાગ્યે જ જાહેર થઈ શકશે. મતલબ કે સાંજે 5:30 વાગ્યાથી જ ટીવી ચેનલો પર ચૂંટણી પરિણામોનું મૂલ્યાંકન દેખાવાનું શરૂ થઈ જશે.
આ પહેલા ચૂંટણી પંચે 30 નવેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યા પહેલા Exit Poll જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 7 નવેમ્બરે મતદાનની શરૂઆતમાં સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરે સાંજે 6.30 વાગ્યા સુધી હતો. પરંતુ હવે ચૂંટણી પંચે પ્રતિબંધની મુદત લંબાવીને માત્ર 5.30 વાગ્યા સુધી કરી છે. આ પછી Exit Poll જાહેર કરવાની સ્વતંત્રતા રહેશે. હવે લોકો આગામી પરિણામોનું મૂલ્યાંકન એક કલાક અગાઉથી જોઈ શકશે.
Assembly Elections 2023: Exit polls results to be declared today after 5.30 pm
Read @ANI Story | https://t.co/AYR18zZy0g#Telangana #ExitPolls #ECI pic.twitter.com/oJm3cDqhlw
— ANI Digital (@ani_digital) November 30, 2023
શું થાય છે કે Exit Poll
વોટિંગ પછી ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ એસેસમેન્ટ જારી કરે છે. તે કહે છે કે કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે. આને Exit Poll કહેવામાં આવે છે. મતદારોની વોટિંગ પેટર્નને સમજ્યા બાદ Exit Poll બહાર પાડવામાં આવે છે. Exit Pollને અંતિમ મૂલ્યાંકન તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચો : PM Modi : પીએમ મોદીએ આ ચાર જાતિઓને મહત્વની ગણાવી, વસ્તી ગણતરી અંગે કહી આ મોટી વાત…