'મારી બરાબરીનો કોઇ ગુંડો જ મારી હત્યા કરશે....'
ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક એહમદ અને તેના ભાઇ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજની હોસ્પિટલ સંકુલમાં ત્રણ શખ્સોએ પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના મીડિયાના કેમેરા સામે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્જાતા દેશભરમાં ખળભળાટ મચી ગયો...
ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક એહમદ અને તેના ભાઇ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજની હોસ્પિટલ સંકુલમાં ત્રણ શખ્સોએ પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના મીડિયાના કેમેરા સામે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્જાતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોતાનું મોત આ રીતે જ થશે તેવી આશંકા ખુદ અતીક એહમદે 19 વર્ષ પહેલાં કરી હતી અને તે સાચી ઠરી છે.
હું રસ્તાની બાજુમાં પડેલો મળીશ.
માફિયા અતીક એહમદે 2004માં લોકસભાની ચૂંટણી સમયે સ્થાનિક પત્રકારોનેને કહ્યું હતું કે મારું પોલીસ એન્કાઉન્ટર કરશે અથવા તો મારી બરાબરીનો કોઇ ગુંડો મારી હત્યા કરશે. હું રસ્તાની બાજુમાં પડેલો મળીશ. તેણે એમ પણ કહ્યું હતું ગુનાખોરીની દુનિયામાં બધા જાણે કે પરિણામ શું આવે છે. કે અતીકે કરેલી આ ભવિષ્યવાણી શનિવારે રાત્રે સાડા દસ વાગે સાચી ઠરી હતી અને ત્રણ ગુંડાઓએ જ તેની પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ત્રણેય હત્યારાએ સરેન્ડર કરી દીધું હતું.
Advertisement