CM Bhupendra Patel At Aravalli: મુખ્યમંત્રીએ અરવલ્લીમાં સ્વામિનારાયણ ભક્તો માટે ધ્યાન સંકુલનું કર્યું શિલાન્યાસ
CM Bhupendra Patel At Aravalli: આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)અરવલ્લી (Arvalli) જિલ્લાની મુલાકાત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો દ્વારા સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના ધ્યાન સંકુલના શિલાન્યાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) નિવેદન આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ધ્યાન સંકુલનો શિલાન્યાસ કર્યો
ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સ્વામિનારાયણ (Swaminarayan) ના ધ્યાન સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ધ્યાન સંકુલ 300 વીઘા જમીનમાં ભવ્ય રીતે નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં એકસાથે 50 હજાર હરિભક્તો ધ્યાનમાં બેસી શકશે. તો સ્વામિનારાયણ (Swaminarayan) ધ્યાન સંકુલ મોડાસાના રાહીયોલમાં નિર્માણ કરાશે.
મુખ્યમંત્રી પૂજાવિધિમાં જોડાયા હતા
તે ઉપરાંત આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી (CM Bhupendra Patel) ના વરદહસ્તે સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય દ્વારા અનાદિમુક્ત વિશ્વમધામનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મુખ્યમંત્રી (CM Bhupendra Patel) પૂજાવિધિમાં જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયને નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ કાંસાના વાટકીમાં ચુસ્કી લીધી
ત્યારે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, શાશ્વત સુખ એટલે ક્યારેય જતું નથી. અને સતમાર્ગ જેટલું જલ્દીવાળો તેટલું આપણા માટે ઉત્તમ છે. તે ઉપરાંત મુખ્યમંત્રી (CM Bhupendra Patel) અરવલ્લી (Arvalli) જિલ્લાના ધનસુરા તાલુકમાં શીકા ચોકડી પાસે ચા પીવા માટે ઉભા રહ્યા હતા. મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) તેમના કાફલા સાથે બાબા રામદેવ હોટલ પર ચાની ચુસ્કી લીધી હતી. તે સમયે મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ કાંસાના વાટકામાં ચા પીધી હતી. તેની સાથે મુખ્યમંત્રી હોટલમાં આવેલા મહેમાનોને પણ મળ્યા હતા.
આ પણ વાંચો: Bhavnagar Check Dam: ધૂળેટીના દિવસે 3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું
આ પણ વાંચો: Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા
આ પણ વાંચો: Surendranagar BJP Candidate: ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ