PM MODIના વિશ્વાસપાત્ર અર્જુન રામ મેઘવાલ કોણ છે....?
કિરન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. હવે અર્જુન રામ મેઘવાલને તેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સાદા જીવન માટે પ્રખ્યાત મેઘવાલ હાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને સંસદીય બાબતોના મંત્રી છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભૂતપૂર્વ...
કિરન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. હવે અર્જુન રામ મેઘવાલને તેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સાદા જીવન માટે પ્રખ્યાત મેઘવાલ હાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને સંસદીય બાબતોના મંત્રી છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય જળ સંસાધન, ગંગા વિકાસ મંત્રી અને બિકાનેર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય છે.
રાજકીય જીવનની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી
અર્જુન રામ મેઘવાલનો જન્મ 7 ડિસેમ્બર 1954ના રોજ થયો હતો. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009 માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ બીજેપીની ટિકિટ પર બિકાનેર લોકસભાથી પ્રથમ ચૂંટણી જીત્યા હતા. આ પછી 2014ની લોકસભા ચૂંટણીમાં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા. કેન્દ્ર સરકારમાં નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન, સંસદીય બાબતોના પ્રધાન, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ રાજ્ય પ્રધાન હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં બીકાનેરથી સતત ત્રીજી વખત સાંસદ ચૂંટાયા હતા.
સાયકલ ચલાવવાનો શોખ
કેન્દ્રીય મંત્રીને સરકારે કાર આપી છે, પરંતુ તેનો ઉપયોગ કરવાને બદલે સાયકલ ચલાવવાનું પસંદ કરે છે. શપથ ગ્રહણ સમારોહ માટે તેઓ સાઈકલ પર રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચ્યા હતા. ભૂતપૂર્વ નોકરશાહ, સરકારી કામકાજની સારી સમજ, નાણા મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી રહીને સારું કામ કર્યું. મેઘવાલને વડાપ્રધાન મોદીની પસંદગી માનવામાં આવે છે.
કૌભાંડનો પર્દાફાશ કર્યો
મેઘવાલની જીવનયાત્રા ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. મેઘવાલે રાજસ્થાનના બીકાનેરમાં રોબર્ટ વાડ્રાના કથિત ગેરકાયદેસર જમીન સોદાને પ્રકાશમાં લાવવાનું કામ કર્યું હતું, ત્યારબાદ તે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા.
13 વર્ષની ઉંમરે લગ્ન કર્યા
બિકાનેરના કિસ્મીદેસર ગામમાં વણકરોના પરંપરાગત પરિવારમાં જન્મેલા મેઘવાલના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા. પિતા સાથે વણકર તરીકે કામ કરીને તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે શ્રી ડુંગર કૉલેજ, બિકાનેરમાંથી તેમની બી.એ.ની ડિગ્રી મેળવી અને તે જ સંસ્થામાંથી કાયદામાં તેમની સ્નાતકની ડિગ્રી (LLB) અને કાયદામાં માસ્ટર ડિગ્રી પણ મેળવી.
IAS અધિકારી બન્યા
અભ્યાસ પૂરો કર્યા બાદ મેઘવાલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. તેમને ઈન્ડિયા પોસ્ટ અને ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં ટેલિફોન ઓપરેટરનું પદ મળ્યું. રાજકારણમાં તેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ ટેલિફોન ટ્રાફિક એસોસિએશનની ચૂંટણી લડ્યા અને જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા. ટેલિફોન ઓપરેટર તરીકે કામ કરતી વખતે, મેઘવાલે તેના બીજા પ્રયાસમાં રાજસ્થાન રાજ્ય વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી. જ્યારે તેમને ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી તરીકે બઢતી આપવામાં આવી અને રાજસ્થાનના ચુરુના જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યા ત્યારે તેમને અમલદારોના ટોચના વર્ગમાં સ્થાન મળ્યું. 2009માં ભાજપે મેઘવાલને બિકાનેરથી લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ ઓફર કરી હતી. તેઓ જીત્યા અને સંસદ સભ્ય બન્યા. મેઘવાલ વર્ષ 2014માં આ જ મતવિસ્તારમાંથી ફરી ચૂંટાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement