Tirupati: બિન હિન્દુ કર્મચારીઓ બદલી કરાવી દે કાં VRS લઇ લે...
- તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં કામ કરતા તમામ બિન-હિંદુઓની સેવાઓને સમાપ્ત કરશે
- બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર લઇ લેવા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા જણાવાશે
Tirupati Devasthanam : દેશના આ મહત્વના ધાર્મિક સ્થાનમાં કામ કરી રહેલા બિન બિન્દુઓને તત્કાળ અન્ય સરકારી વિભાગમાં ટ્રાન્સફર કરાવી લેવા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેવાનો આદેશ કરવામાં આવશે. તિરુપતિ દેવસ્થાનમ (Tirupati Devasthanam)TTD બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરુવારે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુમાલામાં કામ કરતા તમામ લોકો હિંદુ (Non Hindu Workers In Tirupati Balaji) હોવા જોઈએ. પત્રકારો સાથે વાત કરતા, TTD અધ્યક્ષે કહ્યું કે તેઓ આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાત કરશે કે અન્ય ધર્મના કર્મચારીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે,. તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવામાં આવે અથવા VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ) આપવામાં આવે.
"તિરુમાલામાં કામ કરનારા હિન્દુ હોવા જોઈએ"
ટીટીડી ચેરમેનનું કહેવું છે કે તેમનો પહેલો પ્રયાસ એ હશે કે તિરુમાલામાં કામ કરતી દરેક વ્યક્તિ હિંદુ હોવી જોઈએ. તેમણે કહ્યું કે આમાં ઘણા મુદ્દા છે. આપણે આની તપાસ કરવી પડશે. ભગવાન વેંકટેશ્વરના ભક્ત બીઆર નાયડુએ કહ્યું કે તે તેમનું સદ્ભાગ્ય છે કે તેઓ ટીટીડી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. બીઆર નાયડુએ આરોપ લગાવ્યો કે ગત YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુમાલામાં ઘણી ગેરરીતિઓ થઈ હતી. તેમણે કહ્યું કે મંદિરની પવિત્રતા જાળવવી જોઈએ.
TTD ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય
મંદિર ટ્રસ્ટ બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટૂંક સમયમાં TTDમાં કામ કરતા તમામ બિન-હિંદુઓની સેવાઓને સમાપ્ત કરશે અને તેમને આંધ્ર પ્રદેશ સરકારને સોંપશે, આ નિર્ણય અધ્યક્ષ બીઆર નાયડુની અધ્યક્ષતામાં તિરુમાલાના અન્નમય ભવનમાં લેવામાં આવ્યો હતો. "લાડુ પ્રસાદમ" ની તૈયારી માટે વપરાતા ઘીમાં ભેળસેળના વિવાદ બાદ TTDની આ પ્રથમ બેઠક હતી.
આ પણ વાંચો----'Tirumala માં તમામ કર્મચારીઓ હિન્દુ હોવા જોઈએ', નવા TTD અધ્યક્ષનું મોટું નિવેદન
TTDમાં અન્ય ધર્મના 44 કર્મચારીઓ કામ કરે છે
મીટિંગ પછી, ટીટીડી અધ્યક્ષે કહ્યું કે મંદિર વહીવટમાં અલગ-અલગ પોસ્ટ્સ પર કામ કરી રહેલા બિન-હિંદુઓની કુલ સંખ્યાનું મૂલ્યાંકન કરીને સરકારને સોંપવામાં આવશે. 2018ના એક રિપોર્ટ અનુસાર, TTDમાં અન્ય ધર્મના 44 કર્મચારીઓ કામ કરે છે.
VIDEO | "I've a better experience than the pervious president. I am better than those people... It is too early to say anything now as I've not taken the charge... But I am very happy right now," says newly appointed Tirumala Tirupati Devasthanams (TTD) chairman BR Naidu.
(Full… pic.twitter.com/ylk1nly1xD
— Press Trust of India (@PTI_News) October 31, 2024
'કોઈ બિન-હિંદુ મંદિરમાં કામ નહીં કરે'
તેમણે કહ્યું, “અમે તિરુમાલામાં કામ કરતા બિન-હિન્દુઓ અંગે યોગ્ય નિર્ણય લેવા રાજ્ય સરકારને પત્ર લખીશું. TTD એક હિંદુ ધાર્મિક સંસ્થા છે અને બોર્ડને લાગ્યું કે તેણે મંદિરમાં કામ કરવા માટે બિન-હિન્દુઓની નિમણૂક કરવી જોઈએ નહીં. અમે સરકારને પત્ર લખીશું કે કાં તો તેમને અન્ય વિભાગોમાં સામેલ કરવામાં આવે અથવા તો તેમને VRS આપવામાં આવે."
ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાનો પણ નિર્ણય
પ્રસાદમમાં ઘીની ભેળસેળના વિવાદને ધ્યાનમાં રાખીને, ટીટીડીએ સમયાંતરે તિરુમાલા લાડુ અને અન્ય પ્રસાદમની તૈયારીમાં વપરાતા ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો હતો. આ સાથે, અન્ના પ્રસાદમ સંકુલમાં ડેલીના મેનુમાં અન્ય એક સ્વાદિષ્ટ વસ્તુ દાખલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા પછી ભક્તોને મફત ભોજન આપવામાં આવે છે.
નેતાઓના રાજકીય નિવેદનો પર પ્રતિબંધ
બોર્ડે તિરુમાલા પર નેતાઓના રાજકીય નિવેદનો પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે આવા લોકો તેમજ પ્રચાર કરનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો---Tirupati Balaji Temple માં પ્રસાદ સાથે ભક્તોના દાનમાં પણ કૂટનીતિ!