Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શું મોકલી ભેટ ?

US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભગવાન જગન્નાથ અને તેમની રથાયાત્રા સાથે...
pm નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શું મોકલી ભેટ

US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભગવાન જગન્નાથ અને તેમની રથાયાત્રા સાથે ખાસ સંબંધ રહેલો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ રથયાત્રા નિમિતે પ્રસાદ મોકલ્યો છે.

Advertisement

2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે. જ્યારે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા. અને આ પરંપરા તેમણે દિલ્લીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, 1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું. આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા.

Advertisement

આવતી કાલે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે

  • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
  • સવારે 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • સવારે 9.45 વાગ્યે- રાયપુર ચકલા
  • સવારે 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
  • સવારે 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
  • બપોરે 12 વાગ્યે-સરસપુર
  • બપોરે 1.30 વાગ્યે-સરસપુરથી પરત
  • બપોરે 2 વાગ્યે-કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
  • બપોરે 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
  • બપોરે 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
  • બપોરે 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
  • સાંજે 5 વાગ્યે-ઘી કાંટા
  • સાંજે 5.45 વાગ્યે-પાનકોર નાકા
  • સાંજે 6.30 વાગ્યે-માણેકચોક
  • રાત્રે 8.30 વાગ્યે-નિજ મંદિર પરત

આ પણ વાંચો : દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

Tags :
Advertisement

.