Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Seema Haider એ બાબા બાગેશ્વરને લઇને આ શું કહી દીધું...!

પાકિસ્તાનની સીમા હૈદર (Seema Haider) અને ભારતના સચિનની લવ સ્ટોરી આજે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. PUBG રમતા રમતા પ્રેમના ચક્કરમાં પડી ગયેલા સચીન અને સીમાની લવ સ્ટોરી (Sachin and Seema Love Story) ને લઇને રોજે રોજે કોઇને કોઇ...
seema haider એ બાબા બાગેશ્વરને લઇને આ શું કહી દીધું

પાકિસ્તાનની સીમા હૈદર (Seema Haider) અને ભારતના સચિનની લવ સ્ટોરી આજે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. PUBG રમતા રમતા પ્રેમના ચક્કરમાં પડી ગયેલા સચીન અને સીમાની લવ સ્ટોરી (Sachin and Seema Love Story) ને લઇને રોજે રોજે કોઇને કોઇ સમચાર સામે આવતા રહે છે. સીમા અને સચીન છેલ્લા ઘણા દિવસોથી ન્યૂઝ ચેનલનો સૌથી મોટો મુદ્દો છે. પડોશી દેશ પાકિસ્તાનથી આવેલી સીમાને લઇને ઘણા હિન્દુ સંગઠન નારાજ થયા છે. તેઓ સીમાને તુરંત જ ભારતમાંથી નિકાળી દેવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે સીમાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

આ શું બોલી ગઇ સીમા હૈદર?

સચીન અને સીમાની લવ સ્ટોરી હાલમાં ચર્ચામાં આવી છે. આ કપલનો ઈન્ટરવ્યૂ લેવા માટે મીડિયાકર્મીઓનો ઘસારો પણ વધી ગયો છે. તેઓ સતત અલગ અલગ માધ્યમને ઈન્ટરન્યૂ આપી રહ્યા છે. સીમા પોતાના જીવન અને પોતે કોના વિશે શું વિચારે છે તેને લઇને પણ ઘણા ખુલાસાઓ કરી રહી છે. તાજેતરમાં જ તેણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. પાકિસ્તાની મહિલા સીમાએ બાગેશ્વર બાબા વિશે પોતાના દિલની વાત કરી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું કે, તે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ પસંદ કરે છે. તેને તેમનું સ્મિત બહું જ ગમે છે. આ સિવાય સીમાએ દૈવી દરબારમાં જવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તે લાચાર છે. તેને કોર્ટમાંથી જિલ્લો ન છોડવાનો આદેશ મળ્યો છે.

Advertisement

સીમાના નિવેદન બાદ બાબાએ કહ્યું...

હૈદરની ઇચ્છા પર બાબા બાગેશ્વર તરફથી એક નિવેદન પણ આવ્યું છે, બાબા બાગેશ્વરે કહ્યું છે કે, જો તે આવશે તો હું ચોક્કસપણે પરચી કાઢીશ અને તેને બાગેશ્વર ધામથી જ આગળનો રસ્તો મળશે. તમને જણાવી દઈએ કે સીમા હૈદર સચીનના પ્રેમમાં એટલી પાગલ હતી કે પોતાના 4 બાળકો સાથે સરહદ પાર કરીને તે ભારતમાં પગ મુકવામાં સફળ રહી. સીમા હૈદરનું કહેવું છે કે તે સચીન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવા માંગે છે. તેણીએ હિંદુ ધર્મ અપનાવ્યો છે અને હવે તે પાકિસ્તાન જવા માંગતી નથી. જો તેને પાકિસ્તાન મોકલવામાં આવશે તો તેની હત્યા થઈ શકે છે. સીમાની માંગ છે કે તેને ભારતીય નાગરિકતા આપવામાં આવે જેથી તેના 4 બાળકો ભારતમાં જ અભ્યાસ કરી શકે.

Advertisement

UP ATS એ સીમાની કરી અટકાયત

ઉલ્લેખનીય છે કે, ભારતીય યુવક સચીન સાથે પ્રેમમાં પડ્યા બાદ ગેરકાયદેસર રીતે ભારત પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ઉત્તર પ્રદેશ ATS દ્વારા પૂછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી છે. UP ATS સીમા હૈદરની પૂછપરછ કરશે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારત આવી છે. તે સચિન સાથે જ રહે છે. મળતી માહિતી મુજબ UP ATS ની ટીમ સાદા યુનિફોર્મમાં સચિનના ઘરે પહોંચી હતી. સીમા સવારથી તેના ઘરે હાજર હતી અને કોઈની સાથે વાત કરતી ન હતી. તેના પર પરિવારજનોએ કહ્યું કે, તેની તબિયત ખરાબ છે તેથી તે કોઈની સાથે વાત નથી કરતી. જણાવી દઇએ કે, સીમાના ઘરની બહાર સાદા કપડામાં ATS અધિકારીઓ તૈનાત હતા. જ્યારે ATS સીમા હૈદરને લઈ જઈ રહી હતી, ત્યારે ગલીની અંદર મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ATS સીમા હૈદરને ક્યાં લઈ ગઈ છે અને તેને ક્યાં રાખવામાં આવશે, આ અંગેની માહિતી હાલ પ્રાપ્ત થઈ નથી.

આ પણ વાંચો - સીમાને ભારત મોકલવાનું પાકિસ્તાનનું ષડ્યંત્ર…!, UP ATS એ શરુ કરી તપાસ

આ પણ વાંચો - PUBG Love Story : ‘જાસૂસ… અને ખબર નથી કે લોકો શું કહે છે’, સીમા હૈદરે શેર કર્યો ઈમોશનલ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.