Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mamata : મોદી સરકારને અમારુ સમર્થન....

બાંગ્લાદેશના ઇસ્કોનના વડા શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર સતત વધી રહ્યા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મામલે પોતાનું મૌન તોડ્યું તેમણે મોદી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી ટીએમસી નેતાઓએ પણ અપીલ કરી...
mamata   મોદી સરકારને અમારુ સમર્થન
Advertisement
  • બાંગ્લાદેશના ઇસ્કોનના વડા શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર સતત વધી રહ્યા છે
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મામલે પોતાનું મૌન તોડ્યું
  • તેમણે મોદી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી
  • ટીએમસી નેતાઓએ પણ અપીલ કરી હતી

Mamata Banerjee : બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર સતત વધી રહ્યા છે. બાંગ્લાદેશના ઇસ્કોનના વડા શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશ સતત સમાચારોમાં છે. વિદેશ મંત્રાલય પહેલા જ બાંગ્લાદેશના આ પગલાની કડક નિંદા કરી ચૂક્યું છે. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) પણ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને મોદી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

મમતાએ શું કહ્યું?

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈપણ ધર્મના લોકોને નુકસાન થાય. મેં કોલકાતા સ્થિત ઈસ્કોન સાથે પણ વાત કરી છે. જો કે, આ બીજા દેશની વાત છે, તેથી કેન્દ્ર સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ. અમે આ મામલે મોદી સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.

Advertisement

Advertisement

આ પણ વાંચો---Bangladesh સરકારે ISKCONને ગણાવ્યું કટ્ટરપંથી ધાર્મિક સંગઠન

ટીએમસી નેતાઓએ પણ અપીલ કરી હતી

મમતા બેનર્જી પહેલા તેમની પાર્ટીના ઘણા નેતાઓએ બાંગ્લાદેશ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ટીએમસીના નેતા અભિષેક બેનર્જી અને વરિષ્ઠ નેતા સૌગત રોયે પણ કેન્દ્ર સરકારને પગલાં લેવાની અપીલ કરી હતી. અભિષેક બેનર્જીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ વિપક્ષના મૌન પર સવાલ ઉઠાવ્યા

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બાંગ્લાદેશ હિંસાની ટીકા કરી હતી અને યુએનના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓ પર હુમલો અને ધર્મગુરુની ધરપકડ અત્યંત શરમજનક છે. વિપક્ષ આ મુદ્દાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે બાંગ્લાદેશ પોલીસે ઈસ્કોનના વડા શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેમની સામે દેશદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે પણ ઔપચારિક નિવેદન જારી કરીને આ ધરપકડની ટીકા કરી છે.

આ પણ વાંચો---Bangladeshમાં સાધુ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCONની ભારત સરકારને અપીલ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×