WC Final : ફાઈનલને ભવ્ય બનાવવાની તૈયારીઓ, મેચ જોવા આવી શકે છે PM મોદી અને ધોની, મેચ પહેલા એર શો યોજાશે
ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઉતરશે. આ મેચને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ જોવા સ્ટેડિયમ પહોંચી શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ મેચ જોવા આવી શકે છે. તેમની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતીય ટીમને સ્ટેડિયમમાં લગભગ 1.25 લાખ દર્શકોનું સમર્થન મળશે. પીએમ મોદી આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન અમદાવાદના સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. અહીં પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન થવાનું છે.
ફાઈનલ પહેલા એર શો
ફાઈનલ પહેલા ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એક એરિયલ શોનું આયોજન કરવામાં આવશે. આર્મી (ગુજરાત)ના જનસંપર્ક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાઈનલ પહેલા સૂર્યકિરણની એરોબેટીક ટીમ 10 મિનિટ સુધી સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોને તેના એક્રોબેટીક્સથી મંત્રમુગ્ધ કરશે. એર શો માટે ડ્રેસ રિહર્સલ શુક્રવાર અને શનિવારે થશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમમાં નવ વિમાનોનો સમાવેશ થાય છે, જેણે દેશભરમાં અનેક એર શો કર્યા છે.
#WATCH | Indian Air Force (IAF)'s Suryakiran aerobatic team will be carrying out a flypast over the venue of the ICC Cricket World Cup final, the Narendra Modi Stadium in Ahmedabad ahead of the title clash, which will take place on November 19.
(Video Source: Suryakiran… pic.twitter.com/M7s43RvMOu
— ANI (@ANI) November 16, 2023
સમાપન સમારોહનું આયોજન થઈ શકે છે
મેચ પહેલા સમાપન સમારોહનું પણ આયોજન કરી શકાય છે. ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં જ થઈ હતી. ત્યારબાદ અરિજિત સિંહ, શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણ જેવા દિગ્ગજ કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. BCCI ફરી એકવાર અમદાવાદમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવા માંગે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
The #CWC23 Finalists are confirmed 🙌🏻
India 🆚 Australia
🏟️ Narendra Modi Stadium, Ahmedabad 👌🏻#TeamIndia | #MenInBlue pic.twitter.com/QNFhLjbJZV
— BCCI (@BCCI) November 16, 2023
ભારત ચોથી વખત ફાઈનલ રમશે
ભારતીય ટીમ 12 વર્ષ બાદ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. છેલ્લી વખત 2011માં ટીમ ઈન્ડિયાએ હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળની ટીમ ચેમ્પિયન બની હતી. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. 1983માં કપિલ દેવની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલી કેપ્ટન હતો. આઠ વર્ષ પછી, 2011 માં, જ્યારે ભારત ફાઇનલમાં પહોંચ્યું, ત્યારે તેણે શ્રીલંકાને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું.
આ પણ વાંચો - WC Final 2023 : 20 વર્ષ બાદ ફાઈનલમાં ટકરાશે ભારત અને ઓસ્ટ્રેલિયા
આ પણ વાંચો - IND vs AUS Final : 2003 અને 2023 વર્લ્ડ કપનો અદ્દભુત સંયોગ, ગાંગુલીનો બદલો લેશે રોહિતની સેના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે